Thursday, January 22, 2026

અમદાવાદમાં AMTS બસનો ડ્રાઈવર બેફામ બન્યો, ડ્રાઇવર ચિક્કાર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસના છાસ વારે અકસ્માત થતા હોય છે. બોપલ ઘુમા ક્રિષ્ના સારથી સોસાયટી રબારી વાસ પાસે AMTSનો ડ્રાઈવર ફરી નશાની હાલતમાં ભાન ભૂલીને બસ ચલાવતો હતો. બસ ડ્રાઈવરે ચિક્કાર નશાની હાલતમાં મુસાફર ભરેલી બસ ચલાવતો હતો. બસમાં બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.સોસાયટી વિસ્તારમાં AMTS ઘૂસી જતા હોબાળો મચી ગયો હતો. અકસ્માતના કારણની વાત કરવામાં આવે તો એમટીએસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાનો જણાઈ આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ 50 નંબર AMTS અમદાવાદના મેઘાણીનગરથી ઘુમાગામ જતી બસનો અકસ્માત થયો છે. AMTS બસ ડ્રાઇવરે સોસાયટી કમ્પાઉન્ડમાં બસ ઘુસાડી દીધી હતી. નોંધનીય છે કે, અકસ્માતમાં કોઈને કોઈ હાનિ થયાના સમાચાર સામે નથી આવ્યુ પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસનો ડ્રાઈવર ચિક્કાર નશામાં હતો. AMTSનો બસ ડ્રાઈવરે એટલો નશો કરેલો હતો કે તેને એ પણ ભાન ન રહ્યું કે આ રસ્તા પર બસ ચાલે છે કે નહીં.

સોસાયટીમાં AMTS બસ ઘુસાડ્યા બાદ ડ્રાઇવર ધતિંગ કરવા લાગ્યો હતો. ડ્રાઇવરના આપ્રકારના વલણ જોઈને રહેણાંક વિસ્તારના લોકો બસ નજીક એકઠા થયા હતા.પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ઘરી હતી.તો અહીં પ્રશ્ન એ થાય છે કે, AMTS આવા નશો કરતા લોકોને કેમ નોકરી પર રાખે છે. આ તો સદ નસીબે કોઈને હાનિ થઈ નથી પરંતુ જો કે, જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની રહેતી ?

આ અગાઉ પણ AMTS બસે અકસ્માત સર્જેલો છે. વિગતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ તો અમદાવાદના જોધપુર પાસે 8 કાર વચ્ચે AMTS બસ અને રિક્ષાનો વિચિત્ર ટ્રિપ્પલ અકસ્માત સર્જાયા હોવાના સમાચાર સામે આવ્યા હતો. અકસ્માતની ઘટનામાં ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...