Thursday, April 30, 2026

અમદાવાદનું સૌથી મોટું શટલિયા નેટવક, સુભાષબ્રીજ સર્કલની આસપાસ ઇકો-સીએનજી રિક્ષાનો અડીંગો…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પ્રવેશ દ્વાર એવા સુભાષબ્રીજ સર્કલની આસપાસ 100 થી વધુ ઈકો ગાડીઓ, સીએનજી રિક્ષા, તથા અન્ય નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોની અવરજવર કરવામાં આવી રહી છે. મુસાફરોને બેસાડવાની ચડસાચડસી, વધુ મુસાફરો ભરીને વધુ નાણાં કમાવવાની લાલસા અને ધંધાકીય સ્પર્ધામાં મુસાફરોના જીવન સાથે ચેડાં થઇ રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ કમિશ્નર, આરટીઓ સહિતના તંત્રને અનેકો રજૂઆત છતાંયે તંત્ર દ્વારા કાયમી નિરાકરણરૂપી કામગીરી કરવામાં ન આવ્યાનું ચિત્ર જોવા મળે છે.

સુભાષબ્રીજ સર્કલ પાસે આવેલ એક કોમ્પલેક્ષના વેપારીના જણાવ્યાનુસાર બસ સ્ટેન્ડથી માંડ 100 મીટર દૂર સુભાષબ્રીજથી અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળે જતી સીએનજી રિક્ષાચાલકોનો સવારથી અડીંગો જામે છે. જેના કારણે સ્થાનિક વેપારીઓને ધંધો-રોજગાર કરવામાં તકલીફો વેઠવી પડી રહી છે. આ ઉપરાંત સુભાષબ્રીજ સર્કલ પાસે નવી આરટીઓ કચેરીની આગળ પણ કોમ્પલેક્ષના પાર્કિગમાં પણ સીએનજી રિક્ષાઓનો અડીંગો સવારથી જામી જાય છે. જેમાં માથાભારે સીએનજી ચાલકો વેપારીઓ અને ગ્રાહકો સાથે અવારનવાર ઝઘડા કરીને વાતાવરણ ડહોળી રહ્યાનું સાંભળવા મળી રહ્યું છે.

આ ઉપરાંત સુભાષબ્રીજ સર્કલ પાસે ચીમનભાઈ પટેલ બ્રીજ તરફ જવાના રોડ પર પણ શટલિયા રીક્ષાઓનો ત્રાસ હોવાનું જાણવા મળ્યું છે.અહીં પણ રસ્તા વચ્ચોવચ ઉભી રાખીને અવરજવર કરતા અન્ય વાહનચાલકો બિનજરૂરી ટ્રાફિકજામમાં ફસાય છે, જેને કારણે ઓફિસ અવર્સ દરમ્યાન કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળતી હોય છે.

આ ઉપરાંત થોડે આગળ જઈએ તો સુભાષબ્રીજ એસ ટી બસ સ્ટેન્ડ પાસે અમદાવાદથી મહેસાણા, પાટણ, રાધનપુર સહિત ઉત્તર ગુજરાત તરફ જવા માટે ઈકો ગાડીમાં મુસાફરોને બેસાડવાની સ્પર્ધા જામે છે. જેમાં માથાભારે ચાલકો દ્વારા મુસાફરો સાથે પણ અવારનવાર ઝઘડા કરવામાં આવે છે. આ અંગે નજીકના પોલીસ સ્ટેશનને વારંવાર રજૂઆત છતાંયે પોલીસ અને ઈકોચાલકો વચ્ચે ’મનમેળ’ હોવાના કારણે સ્થિતિ જૈસે થે જોવા મળે છે. બીજી તરફ મુસાફરો બેસાડવાની લ્હાયમાં શટલિયા ઈકોચાલકો રોડની વચ્ચે ઊભા રહી જાય છે. જેથી આ માર્ગ અવરજવર કરતા અન્ય વાહનચાલકો, રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

એસ.ટી.બસ સ્ટેન્ડની આસપાસમાં શટલિયા વાહનો ઊભા ન રહી શકે તે નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યાનું ટ્રાફિક પોલીસ, એસ.ટી.કર્મચારીઓ-અધિકારીઓ જોઇ રહ્યા હોવા છતાંયે નિયમપાલન માટે કોઇ કાર્યવાહી હાથ ધરતા ન હોવાનો રોષ સ્થાનિક વેપારીઓએ વ્યકત કર્યો હતો. જો કે જાગૃત વેપારીઓના જણાવ્યાનુસાર શટલિયા રિક્ષાચાલકોની દાદાગીરી અને આડેધડ પાર્કિગ સહિતની બાબતે મુખ્યમંત્રી ઓનલાઇન કાર્યક્રમમાં આ પેચીદો પ્રશ્ન રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જો આ સત્ય હોય તો મુસાફરોના જીવન સાથે ચેડાં કરનાર ચાલકો સામે કાર્યવાહીની સાથે હપ્તારૂપી ભ્રષ્ટાચારને અટકાવવા ઉચ્ચકક્ષાએથી સત્વરે કાર્યવાહી થવી જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...