Friday, January 16, 2026

અમદાવાદનું સૌથી મોટું શટલિયા નેટવક, સુભાષબ્રીજ સર્કલની આસપાસ ઇકો-સીએનજી રિક્ષાનો અડીંગો…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પ્રવેશ દ્વાર એવા સુભાષબ્રીજ સર્કલની આસપાસ 100 થી વધુ ઈકો ગાડીઓ, સીએનજી રિક્ષા, તથા અન્ય નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોની અવરજવર કરવામાં આવી રહી છે. મુસાફરોને બેસાડવાની ચડસાચડસી, વધુ મુસાફરો ભરીને વધુ નાણાં કમાવવાની લાલસા અને ધંધાકીય સ્પર્ધામાં મુસાફરોના જીવન સાથે ચેડાં થઇ રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ કમિશ્નર, આરટીઓ સહિતના તંત્રને અનેકો રજૂઆત છતાંયે તંત્ર દ્વારા કાયમી નિરાકરણરૂપી કામગીરી કરવામાં ન આવ્યાનું ચિત્ર જોવા મળે છે.

સુભાષબ્રીજ સર્કલ પાસે આવેલ એક કોમ્પલેક્ષના વેપારીના જણાવ્યાનુસાર બસ સ્ટેન્ડથી માંડ 100 મીટર દૂર સુભાષબ્રીજથી અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળે જતી સીએનજી રિક્ષાચાલકોનો સવારથી અડીંગો જામે છે. જેના કારણે સ્થાનિક વેપારીઓને ધંધો-રોજગાર કરવામાં તકલીફો વેઠવી પડી રહી છે. આ ઉપરાંત સુભાષબ્રીજ સર્કલ પાસે નવી આરટીઓ કચેરીની આગળ પણ કોમ્પલેક્ષના પાર્કિગમાં પણ સીએનજી રિક્ષાઓનો અડીંગો સવારથી જામી જાય છે. જેમાં માથાભારે સીએનજી ચાલકો વેપારીઓ અને ગ્રાહકો સાથે અવારનવાર ઝઘડા કરીને વાતાવરણ ડહોળી રહ્યાનું સાંભળવા મળી રહ્યું છે.

આ ઉપરાંત સુભાષબ્રીજ સર્કલ પાસે ચીમનભાઈ પટેલ બ્રીજ તરફ જવાના રોડ પર પણ શટલિયા રીક્ષાઓનો ત્રાસ હોવાનું જાણવા મળ્યું છે.અહીં પણ રસ્તા વચ્ચોવચ ઉભી રાખીને અવરજવર કરતા અન્ય વાહનચાલકો બિનજરૂરી ટ્રાફિકજામમાં ફસાય છે, જેને કારણે ઓફિસ અવર્સ દરમ્યાન કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળતી હોય છે.

આ ઉપરાંત થોડે આગળ જઈએ તો સુભાષબ્રીજ એસ ટી બસ સ્ટેન્ડ પાસે અમદાવાદથી મહેસાણા, પાટણ, રાધનપુર સહિત ઉત્તર ગુજરાત તરફ જવા માટે ઈકો ગાડીમાં મુસાફરોને બેસાડવાની સ્પર્ધા જામે છે. જેમાં માથાભારે ચાલકો દ્વારા મુસાફરો સાથે પણ અવારનવાર ઝઘડા કરવામાં આવે છે. આ અંગે નજીકના પોલીસ સ્ટેશનને વારંવાર રજૂઆત છતાંયે પોલીસ અને ઈકોચાલકો વચ્ચે ’મનમેળ’ હોવાના કારણે સ્થિતિ જૈસે થે જોવા મળે છે. બીજી તરફ મુસાફરો બેસાડવાની લ્હાયમાં શટલિયા ઈકોચાલકો રોડની વચ્ચે ઊભા રહી જાય છે. જેથી આ માર્ગ અવરજવર કરતા અન્ય વાહનચાલકો, રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

એસ.ટી.બસ સ્ટેન્ડની આસપાસમાં શટલિયા વાહનો ઊભા ન રહી શકે તે નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યાનું ટ્રાફિક પોલીસ, એસ.ટી.કર્મચારીઓ-અધિકારીઓ જોઇ રહ્યા હોવા છતાંયે નિયમપાલન માટે કોઇ કાર્યવાહી હાથ ધરતા ન હોવાનો રોષ સ્થાનિક વેપારીઓએ વ્યકત કર્યો હતો. જો કે જાગૃત વેપારીઓના જણાવ્યાનુસાર શટલિયા રિક્ષાચાલકોની દાદાગીરી અને આડેધડ પાર્કિગ સહિતની બાબતે મુખ્યમંત્રી ઓનલાઇન કાર્યક્રમમાં આ પેચીદો પ્રશ્ન રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જો આ સત્ય હોય તો મુસાફરોના જીવન સાથે ચેડાં કરનાર ચાલકો સામે કાર્યવાહીની સાથે હપ્તારૂપી ભ્રષ્ટાચારને અટકાવવા ઉચ્ચકક્ષાએથી સત્વરે કાર્યવાહી થવી જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...