Tuesday, January 13, 2026

ગુજરાતીઓ માટે મોટી ખુશખબર ! અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રુટ, જાણો ક્યારથી શરૂ થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સેવાઓની શરૂઆત પહેલા આજે કમિશ્નર મેટ્રો રેલ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. ગાંધીનગર સેક્ટર એક ખાતે મેટ્રો સ્ટેશન પર કમિશ્નર મેટ્રો રેલ્સ આર કે શર્માએ ઈન્સ્પેક્શન કર્યું હતું. ઈન્સ્પેક્શનમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વનું છે કે ઈન્સ્પેક્શન બાદ મેટ્રો સેવાઓ અમદાવાદના મોટેરાથી શરૂઆતના તબક્કામાં સેક્ટર 1 ગાંધીનગર સુધી શરૂ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે રુટ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થનારા મેટ્રો રેલના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી. જેને પગલે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફટી આર કે મિશ્રા ગાંધીનગરમાં હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કર્યું હતું. ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે. સેફટી ઈંસપેકશન બાદ કોમર્શિયલ વપરાશ આવતા મહિને શરુ થશે.

સેફટી ઇન્સ્પેકશન બાદ મેટ્રો ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે. ત્યારે જલ્દી જ બંને શહેરોને એક નવું નજરાણું મળશે. અને બંને શહેરો વચ્ચે અંતર ઘટશે અને અપ-ડાઉન કરતા લોકોને ઘણી રાહત મળશે. ગણતરીના દિવસોમાં જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રોના આ નવા રૂટનો પ્રારંભ થઈ જશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના સૌથી મહત્ત્વના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સીટી સુધીની મેટ્રોની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

જૂન માસના અંત સુધીમાં આ નવા મેટ્રો રુટની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રોજેક્ટ રેડી છે, બસ તેને સત્તાવાર રીતે લીલીઝંડી મળવા માટેની રાહ જોવાઈ રહી છે. કોઈપણ નાની મોટી ક્ષતિના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....