Wednesday, March 4, 2026

ગુજરાતીઓ માટે મોટી ખુશખબર ! અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રુટ, જાણો ક્યારથી શરૂ થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સેવાઓની શરૂઆત પહેલા આજે કમિશ્નર મેટ્રો રેલ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. ગાંધીનગર સેક્ટર એક ખાતે મેટ્રો સ્ટેશન પર કમિશ્નર મેટ્રો રેલ્સ આર કે શર્માએ ઈન્સ્પેક્શન કર્યું હતું. ઈન્સ્પેક્શનમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વનું છે કે ઈન્સ્પેક્શન બાદ મેટ્રો સેવાઓ અમદાવાદના મોટેરાથી શરૂઆતના તબક્કામાં સેક્ટર 1 ગાંધીનગર સુધી શરૂ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે રુટ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થનારા મેટ્રો રેલના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી. જેને પગલે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફટી આર કે મિશ્રા ગાંધીનગરમાં હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કર્યું હતું. ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે. સેફટી ઈંસપેકશન બાદ કોમર્શિયલ વપરાશ આવતા મહિને શરુ થશે.

સેફટી ઇન્સ્પેકશન બાદ મેટ્રો ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે. ત્યારે જલ્દી જ બંને શહેરોને એક નવું નજરાણું મળશે. અને બંને શહેરો વચ્ચે અંતર ઘટશે અને અપ-ડાઉન કરતા લોકોને ઘણી રાહત મળશે. ગણતરીના દિવસોમાં જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રોના આ નવા રૂટનો પ્રારંભ થઈ જશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના સૌથી મહત્ત્વના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર ગીફ્ટ સીટી સુધીની મેટ્રોની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

જૂન માસના અંત સુધીમાં આ નવા મેટ્રો રુટની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રોજેક્ટ રેડી છે, બસ તેને સત્તાવાર રીતે લીલીઝંડી મળવા માટેની રાહ જોવાઈ રહી છે. કોઈપણ નાની મોટી ક્ષતિના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...