Wednesday, March 11, 2026

અમદાવાદમાં દિવાળી જેવો માહોલ, ઠેર-ઠેર આતશબાજી, ભારત માતા કી જયના નારા સાથે રોડ-રસ્તા પર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : ટીમ ઇન્ડિયાએ એક વાર ફરી ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈંડિયાએ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને જીત મેળવી છે. ટીમ ઈંડિયાની જીત બાદ આખા દેશમાં જશ્નનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને ટીમ ઇન્ડિયાની જીતને બિરદાવી હતી.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ યુવાનો દ્વારા શહેરમાં ભવ્ય આતશબાજી કરી ઉજવણી કરી હતી.શહેરના સિંધુભવન, પકવાન ચાર રસ્તા, થલતેજ, એસજી હાઈવે, ચાંદખેડા, રાયપુર દરવાજા, મણિનગર, નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.રસ્તા ઉપર ભારતના તિરંગા સાથે કાર અને બાઈક સાથે રેલી યોજી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ દરમિયાન થલતેજ અંડરબ્રિજ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો થલતેજ ચોકડી પાસે એક્ટિવા ચાલક સામે અચાનક ગાડીવાળો આવી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે ટોળાએ યુવકને ઢોર માર માર્યો હતો. અમદાવાદીઓએ મોડી રાત સુધી T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. લોકો ફટાકડા ફોડી રહ્યા છે. મીઠાઈઓ વહેંચી રહ્યા છે. એકબીજાના મોઢા મીઠા કરાવી રહ્યા છે.તો ઘણી જગ્યાએ ડીજેના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના તાલે ડાન્સ કરીને નાના-મોટા સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...