Sunday, January 18, 2026

અમદાવાદમાં દિવાળી જેવો માહોલ, ઠેર-ઠેર આતશબાજી, ભારત માતા કી જયના નારા સાથે રોડ-રસ્તા પર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : ટીમ ઇન્ડિયાએ એક વાર ફરી ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈંડિયાએ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને જીત મેળવી છે. ટીમ ઈંડિયાની જીત બાદ આખા દેશમાં જશ્નનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને ટીમ ઇન્ડિયાની જીતને બિરદાવી હતી.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ યુવાનો દ્વારા શહેરમાં ભવ્ય આતશબાજી કરી ઉજવણી કરી હતી.શહેરના સિંધુભવન, પકવાન ચાર રસ્તા, થલતેજ, એસજી હાઈવે, ચાંદખેડા, રાયપુર દરવાજા, મણિનગર, નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.રસ્તા ઉપર ભારતના તિરંગા સાથે કાર અને બાઈક સાથે રેલી યોજી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ દરમિયાન થલતેજ અંડરબ્રિજ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો થલતેજ ચોકડી પાસે એક્ટિવા ચાલક સામે અચાનક ગાડીવાળો આવી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે ટોળાએ યુવકને ઢોર માર માર્યો હતો. અમદાવાદીઓએ મોડી રાત સુધી T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. લોકો ફટાકડા ફોડી રહ્યા છે. મીઠાઈઓ વહેંચી રહ્યા છે. એકબીજાના મોઢા મીઠા કરાવી રહ્યા છે.તો ઘણી જગ્યાએ ડીજેના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના તાલે ડાન્સ કરીને નાના-મોટા સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...