Wednesday, September 17, 2025

સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી લોકઅપમાંથી થયો ફરાર, શોધખોળ શરૂ કરાઈ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કસ્ટડીમાંથી ગુનેગાર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા જ અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુનામાં સોલા પોલીસે ઝડપેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી લોકોમાંથી બહાર નીકળ્યો અને પોલીસને ચકમો આપી રફુચક્કર થઈ જતા પોલીસની ટીમ દોડતી થઈ છે. શનિવારે સવારે 8 થી 8:30 વાગ્યાના સમય દરમિયાન આરોપી મેહુલ નટવર પરમાર લોકઅપમાં બંધ હતો ત્યારે ટોયલેટ જવાના બહાને ભાગી ગયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના ગુનેગારની સોલા પોલીસે 10 જુલાઈએ ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હોય જેની તપાસ ચાલતી હતી, તે દરમિયાન શનિવારે વહેલી સવારે આઠ વાગે આસપાસ મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે PSOને લોકોની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયો હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલે તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી આઝાદ માટે મોકલ્યો હતો. જ્યાં દસ મિનિટ સુધી તે બહારના આવતા પોલીસને શંકા જતા દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું.

સોલા પોલીસ સ્ટેશનમાં 7 જુલાઈએ અપહરણનો ગુનો દાખલ થયો હતો અને 10 જુલાઈએ વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શનની સાઈટ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપી રિમાન્ડ પર હોવાથી પોલીસ કસ્ટડીમાં હતો. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા આરોપી સામે ફરિયાદ નોંધી સ્થાનિક પોલીસ ઉપરાંત ઝોન પોલીસની ટીમ ફરાર આરોપીને શોધવા માટે કામે લાગી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...