Wednesday, March 4, 2026

અમદાવાદમાં અંધારપટ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ, સામાન્ય વરસાદમાં પાણી ભરાવું સામાન્ય બન્યું

spot_img
Share

અમદાવાદ : હવામાન ખાતાએ આજે વરસાદની આગાહી કરી હતી તે મુજબ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહયો છે. આ લખાય છે ત્યારે છેલ્લી બે કલાકથી અમદાવાદમાં જોરદાર વરસાદ બાદ સામાન્ય વિરામ લીધો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હજુ ત્રણથી ચાર કલાક વરસાદ ચાલુ રહે તેવી આગાહી છે.

અમદાવાદમાં બપોર બાદ પણ ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો. પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં પોણા ઈંચથી લઈને એક ઈંચ સુધી વરસાદ પડી ગયો છે. અમદાવાદમાં કેટલાય દિવસથી ભારે ગરમી અને બફારાનો અનુભવ થાય છે ત્યારે આજના વરસાદથી થોડી ઠંડક ફેલાઈ છે. અત્યારે આશ્રમરોડ, ઉસ્માનપુરા, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.

અમદાવાદમાં જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાં આજે પણ એવી જ સ્થિતિ છે. જયહિંદ ચાર રસ્તા, રામબાગ, મણિનગર રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા છે.એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ઈન્દિરા બ્રીજ, આશ્રમ રોડ, ભાટ ગામ, સરદારનગર અને લાલ દરવાજા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અમદાવાદમાં દરેક મહત્ત્વના રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

આ અગાઉ અમદાવાદમાં બપોરે 12:30 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અંધારપટ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ શહેરમાં શરૂ થયો હતો.અમદાવાદમાં સવારથી વરસાદનો માહોલ જામતો જોવા મળ્યો હતો અને 11 વાગ્યા સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘણા લોકોના વાહન વરસાદમાં બંધ પડી ગયા હતા તેના કારણે તેમણે ધક્કા મારીને જવું પડ્યું હતું અથવા વાહનોને રસ્તામાં જ છોડી દેવા પડ્યા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...