Thursday, January 22, 2026

અમદાવાદમાં અંધારપટ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ, સામાન્ય વરસાદમાં પાણી ભરાવું સામાન્ય બન્યું

spot_img
Share

અમદાવાદ : હવામાન ખાતાએ આજે વરસાદની આગાહી કરી હતી તે મુજબ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહયો છે. આ લખાય છે ત્યારે છેલ્લી બે કલાકથી અમદાવાદમાં જોરદાર વરસાદ બાદ સામાન્ય વિરામ લીધો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હજુ ત્રણથી ચાર કલાક વરસાદ ચાલુ રહે તેવી આગાહી છે.

અમદાવાદમાં બપોર બાદ પણ ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો. પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં પોણા ઈંચથી લઈને એક ઈંચ સુધી વરસાદ પડી ગયો છે. અમદાવાદમાં કેટલાય દિવસથી ભારે ગરમી અને બફારાનો અનુભવ થાય છે ત્યારે આજના વરસાદથી થોડી ઠંડક ફેલાઈ છે. અત્યારે આશ્રમરોડ, ઉસ્માનપુરા, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.

અમદાવાદમાં જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાં આજે પણ એવી જ સ્થિતિ છે. જયહિંદ ચાર રસ્તા, રામબાગ, મણિનગર રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા છે.એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ઈન્દિરા બ્રીજ, આશ્રમ રોડ, ભાટ ગામ, સરદારનગર અને લાલ દરવાજા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અમદાવાદમાં દરેક મહત્ત્વના રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

આ અગાઉ અમદાવાદમાં બપોરે 12:30 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અંધારપટ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ શહેરમાં શરૂ થયો હતો.અમદાવાદમાં સવારથી વરસાદનો માહોલ જામતો જોવા મળ્યો હતો અને 11 વાગ્યા સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘણા લોકોના વાહન વરસાદમાં બંધ પડી ગયા હતા તેના કારણે તેમણે ધક્કા મારીને જવું પડ્યું હતું અથવા વાહનોને રસ્તામાં જ છોડી દેવા પડ્યા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...