Sunday, November 2, 2025

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું, તાજીયાના તહેવારને લઈ આ રસ્તાઓ બંધ

Share

અમદાવાદ : અમદાવાદમાં આજે 17 જુલાઈના રોજ મહોરમ નિમિત્તે તાજીયા નીકળવાના છે. તાજીયા શહેરના જુદા જુદા વિસ્તારમાં નીકળી ત્યારબાદ વિસર્જન માટે ભેગા થવાના છે. જેને પગલે શહેરના કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ જ્યારે અમુક માર્ગ પર નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આજે બપોરે બે કલાકથી રાતે 12 કલાક સુધી કેટલાક જાહેર માર્ગો પર અવર-જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન-વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા નીકળશે અને નજીકના વિસ્તારોમાં ફરી છેવટે વિસર્જન અર્થે ભેગા થશે. બપોરે કલાક 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કેટલાક જાહેર માર્ગો ઉપર અવર-જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન-વ્યવહારની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે જાહેર જનતાના વાહન વ્યવહારના સરળ નિયમન અને ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

મુસ્લિમ ધર્મમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજીયાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો છે. આ નવા વર્ષના દસમા દિવસે મુસ્લિમોએ બનાવેલ આ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...