Wednesday, January 21, 2026

નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો, શિષ્યોએ કરી ગુરુની પૂજા

spot_img
Share

અમદાવાદ : ગુરુપૂર્ણિમાના અવસરે અમદાવાદમાં નિર્ણયનગર ખાતે આવેલ આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો હતો.IMCTF તથા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોર્ડના પૂર્વ ચેરમેન અને શહેરની જાણીતી સ્કૂલોના સંચાલકો હાજર રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્યના 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ વેબિનારથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની નિર્ણયનગરમાં આવેલી આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અલગ-અલગ 64 કલાઓના ગુરુઓ તથા શિષ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોર્ડના પૂર્વ ચેરમેન એ.જે શાહ,સિનિયર એડવોકેટ અરુણ ઓઝા, નાટ્યકર મનીષ પાટડીયા અને નૃત્યકાર શીતલ મકવાણા તથા ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 600 જેટલી સ્કૂલોના 1,00,000થી વધુ વિદ્યાર્થીઓ વેબિનારથી જોડાયા હતા.અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય તથા IMCTF દ્વારા આચાર્ય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નૃત્ય, વાદ્ય, ગાન વિદ્યા, નાટ્યકળા, જાદુગર કળા, માટીના વાસણો/યંત્રો બનાવવા, સાંકેતિક ભાષા લખવાની વિદ્યા, ગાલીચા સાલ વગેરે બનાવનાર કળા, નાટક લખવાની કળા, જુદી જુદી ખાવાની ચીજો બનાવવાની કળા, કપડા બનાવવાની કળા, ઘરેણાં બનાવવાની કળા, પ્રતિમા બનાવવી, સોયથી કામ લેવાની કળા, ચિત્ર કળા, જડીબુટ્ટી અને ઔષધિ બનાવવાની કળા, કઠપૂતળી બનાવવાની કળા, સોનું – ચાંદી વગેરે ઘડવાની કળા, મણિઓના રંગને ઓળખવાની કળા સહિતની કુલ 64 જેટલી કલાઓના કલાગુરુઓનું પૂજન, સન્માન અને ગુરુવંદના આ પ્રસંગે કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારી કૃપા ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેમજ ગુરુ-શિષ્ય પરંપરા પ્રત્યે આદર કેળવાય, તે ઉમદા હેતુસર અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં સાત દિવસીય ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...