Friday, May 1, 2026

નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો, શિષ્યોએ કરી ગુરુની પૂજા

spot_img
Share

અમદાવાદ : ગુરુપૂર્ણિમાના અવસરે અમદાવાદમાં નિર્ણયનગર ખાતે આવેલ આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો હતો.IMCTF તથા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોર્ડના પૂર્વ ચેરમેન અને શહેરની જાણીતી સ્કૂલોના સંચાલકો હાજર રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્યના 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ વેબિનારથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની નિર્ણયનગરમાં આવેલી આત્મીય વિદ્યા નિકેતનમાં આચાર્ય વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અલગ-અલગ 64 કલાઓના ગુરુઓ તથા શિષ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોર્ડના પૂર્વ ચેરમેન એ.જે શાહ,સિનિયર એડવોકેટ અરુણ ઓઝા, નાટ્યકર મનીષ પાટડીયા અને નૃત્યકાર શીતલ મકવાણા તથા ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 600 જેટલી સ્કૂલોના 1,00,000થી વધુ વિદ્યાર્થીઓ વેબિનારથી જોડાયા હતા.અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય તથા IMCTF દ્વારા આચાર્ય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નૃત્ય, વાદ્ય, ગાન વિદ્યા, નાટ્યકળા, જાદુગર કળા, માટીના વાસણો/યંત્રો બનાવવા, સાંકેતિક ભાષા લખવાની વિદ્યા, ગાલીચા સાલ વગેરે બનાવનાર કળા, નાટક લખવાની કળા, જુદી જુદી ખાવાની ચીજો બનાવવાની કળા, કપડા બનાવવાની કળા, ઘરેણાં બનાવવાની કળા, પ્રતિમા બનાવવી, સોયથી કામ લેવાની કળા, ચિત્ર કળા, જડીબુટ્ટી અને ઔષધિ બનાવવાની કળા, કઠપૂતળી બનાવવાની કળા, સોનું – ચાંદી વગેરે ઘડવાની કળા, મણિઓના રંગને ઓળખવાની કળા સહિતની કુલ 64 જેટલી કલાઓના કલાગુરુઓનું પૂજન, સન્માન અને ગુરુવંદના આ પ્રસંગે કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારી કૃપા ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેમજ ગુરુ-શિષ્ય પરંપરા પ્રત્યે આદર કેળવાય, તે ઉમદા હેતુસર અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં સાત દિવસીય ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...