Friday, January 23, 2026

અમદાવાદની પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાંથી મંગાવેલ મિઠાઈમાં નીકળી ફૂગ, AMC ના ફૂડ વિભાગે સીલ માર્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના જાણીતા મીઠાઈ હાઉસની મીઠાઈમાં ફૂગ નીકળ્યાની ઘટના બનવાથી હડકંપ મચી જવા પામ્યો છે. મળતા રિપોર્ટ પ્રમાણે દોશી પરિવારે મણિનગરની ગ્વાલિયા સ્વીટમાંથી ઓનલાઈન મીઠાઈ મગાવી હતી. જે મીઠાઈમાં ફૂગ અને સ્વાદ ફેર હોવાનો દાવો કર્યો હતો. ગ્રાહકે આ મીઠાઈનો એક વીડિયો પણ બનાવીને વાયરલ કરી હતી. AMC ના ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટ્સ્સને નોટિસ મારી સીલ કરવાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ અખાદ્ય ચીજવસ્તુઓ કે પછી ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળ્યાની ઘટનાઓ છાશવારે બની રહી છે. ત્યારે ઓનલાઈન મગાવેલી મીઠાઈમાં હવે ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

મળતા રીપોર્ટ મૂજબ, શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા દોશી પરિવારે આજે (5 ઓગસ્ટ) શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હતો. જેના કારણે ભગવાનને ધરાવવા માટે ઓનલાઇન ઝોમેટો એપ્લિકેશન મારફતે મણિનગરની ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી મીઠાઈમાં મીઠી બુંદી, કાનપુરી લાડુ અને નમકીન મંગાવ્યું હતું. દુકાનમાંથી આવેલી મીઠાઈમાં જ્યારે લાડવામાં જોયું તો તેમાં ફુગ વળેલી જોવા મળી હતી. જેમાં ફૂગ નીકળતા પરિવાર ચોકી ગયો હતો. લાડવા ઉપર ફુગ વળેલી હોવાથી બગડી ગયા હોય તેવા વાસી લાડવા મોકલવામાં આવ્યા હતા. જેના પગલે તાત્કાલિક ધોરણે દોશી પરિવારે AMC ના ફૂડ વિભાગની ટીમને જાણ કરી હતી.

ફુગ વળેલા લાડવાના ફોટા અને વીડિયો ફુડ વિભાગને મોકલી આપ્યા હતા. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાં તપાસ કરવામાં આવી હતી. દુકાનમાં જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાં વેચાણ માટે રાખવામાં આવેલા લાડવામાં નરી આંખે દેખાય તેવું ફુગ વળેલું જોવા મળ્યું હતું. મીઠાઈમાં કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ અથવા ક્યાં સુધી ઉપયોગ કરવો તે અંગે કોઈ માહિતી લખેલી નહોતી. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયર સ્વીટ્સને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ ગ્વાલિયા સ્વીટ્સના રેસ્ટોરન્ટમાંથી ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી વંદો નીકળવાની બેથી ત્રણ વખત ઘટનાઓ બની છે. ગ્રાહકો દ્વારા ગ્વાલિયા સ્વીટ્સના સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જે તે સમયે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે મીઠાઈની દુકાનમાંથી પણ ફુગ વળેલી અને એક્સપાયરી ડેટ લખ્યા વિનાની મીઠાઈઓનું વેચાણ શરૂ થયું છે. જેને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...