Thursday, April 30, 2026

અમદાવાદની પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાંથી મંગાવેલ મિઠાઈમાં નીકળી ફૂગ, AMC ના ફૂડ વિભાગે સીલ માર્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના જાણીતા મીઠાઈ હાઉસની મીઠાઈમાં ફૂગ નીકળ્યાની ઘટના બનવાથી હડકંપ મચી જવા પામ્યો છે. મળતા રિપોર્ટ પ્રમાણે દોશી પરિવારે મણિનગરની ગ્વાલિયા સ્વીટમાંથી ઓનલાઈન મીઠાઈ મગાવી હતી. જે મીઠાઈમાં ફૂગ અને સ્વાદ ફેર હોવાનો દાવો કર્યો હતો. ગ્રાહકે આ મીઠાઈનો એક વીડિયો પણ બનાવીને વાયરલ કરી હતી. AMC ના ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટ્સ્સને નોટિસ મારી સીલ કરવાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ અખાદ્ય ચીજવસ્તુઓ કે પછી ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળ્યાની ઘટનાઓ છાશવારે બની રહી છે. ત્યારે ઓનલાઈન મગાવેલી મીઠાઈમાં હવે ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

મળતા રીપોર્ટ મૂજબ, શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા દોશી પરિવારે આજે (5 ઓગસ્ટ) શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હતો. જેના કારણે ભગવાનને ધરાવવા માટે ઓનલાઇન ઝોમેટો એપ્લિકેશન મારફતે મણિનગરની ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી મીઠાઈમાં મીઠી બુંદી, કાનપુરી લાડુ અને નમકીન મંગાવ્યું હતું. દુકાનમાંથી આવેલી મીઠાઈમાં જ્યારે લાડવામાં જોયું તો તેમાં ફુગ વળેલી જોવા મળી હતી. જેમાં ફૂગ નીકળતા પરિવાર ચોકી ગયો હતો. લાડવા ઉપર ફુગ વળેલી હોવાથી બગડી ગયા હોય તેવા વાસી લાડવા મોકલવામાં આવ્યા હતા. જેના પગલે તાત્કાલિક ધોરણે દોશી પરિવારે AMC ના ફૂડ વિભાગની ટીમને જાણ કરી હતી.

ફુગ વળેલા લાડવાના ફોટા અને વીડિયો ફુડ વિભાગને મોકલી આપ્યા હતા. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાં તપાસ કરવામાં આવી હતી. દુકાનમાં જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાં વેચાણ માટે રાખવામાં આવેલા લાડવામાં નરી આંખે દેખાય તેવું ફુગ વળેલું જોવા મળ્યું હતું. મીઠાઈમાં કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ અથવા ક્યાં સુધી ઉપયોગ કરવો તે અંગે કોઈ માહિતી લખેલી નહોતી. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયર સ્વીટ્સને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ ગ્વાલિયા સ્વીટ્સના રેસ્ટોરન્ટમાંથી ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી વંદો નીકળવાની બેથી ત્રણ વખત ઘટનાઓ બની છે. ગ્રાહકો દ્વારા ગ્વાલિયા સ્વીટ્સના સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જે તે સમયે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે મીઠાઈની દુકાનમાંથી પણ ફુગ વળેલી અને એક્સપાયરી ડેટ લખ્યા વિનાની મીઠાઈઓનું વેચાણ શરૂ થયું છે. જેને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...