Wednesday, March 18, 2026

અમદાવાદની શાળાઓમાં AMCનું ચેકીંગ, આ શાળામાંથી મચ્છરોના બ્રીડિંગ મળ્યા, 25 હજારનો ફટકાર્યો દંડ

spot_img
Share

અમદાવાદ: સાઉથ બોપલમાં ડેન્ગ્યુના એક સાથે 7 કેસ નોંધાતા મ્યુનિ. આરોગ્ય વિભાગે મંગળવારે જુદાજુદા વિસ્તારની સ્કૂલોમાં તપાસ કરી હતી. 214 સ્કૂલમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તેમને નોટિસ આપી રૂ. 2.56 લાખનો દંડ વસૂલ કરાયો હતો. થલતેજની શિવ આશિષ સ્કૂલને સીલ કરાઈ છે. મણિનગરની દીવાન બલ્લુભાઇ, બોડકદેવની પ્રકાશ અને નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી પણ બ્રીડિંગ મળ્યા હતા અને 15 હજારનો વહિવટ ચાર્જ વસુલાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના હેલ્થ વિભાગ હસ્તકની વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખા દ્વારા દરેક ઝોનમાં દ્વારા શહેરમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલો તથા શૈક્ષણિક સંસ્થાઓની પ્રિમાઇસીસની ચેકીગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ચેકીગ દરમ્યાન કુલ 361 એકમ ચેક કરી 214 એકમોને નોટિસ અપાઇ છે. તેમજ 2 લાખ 56 હજાર વહિવટી ચાર્જ વસુલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે હાલની ચોમાસાની ઋતુ દરમ્યાન તાજેતરમાં શહેરમા થયેલા વરસાદના કારણે મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાની તમામ કામગીરી ધનિષ્ઠ બનાવવામાં આવેલ છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ એકમો, સંસ્થાઓની સઘન ઝુબેશરૂપે મચ્છરના બ્રિડીગ અંગેની ચેકીગ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વેય વિભાગના તમામ સ્ટાફ દ્વારા શહેરમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલો તથા શૈક્ષમિક સંસ્થાઓની પ્રિમાઇસીસ ચેકીગ હાથ ધર્યુ હતું.

નોંધનીય છે કે, શહેરના એક મહિનામાં ડેન્ગુયના 171 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. સાદા અને ઝેરી મેલેરિયાના 200 થી વધુ કેસ નોધાયા છે. પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના 1416 કેસ, કમળો-351 કેસ, ટાઇફોઇડ-668 કેસ અને કોલેરાના 48 કેસ નોધાયા છે.
શહેરમાં ચોમાસા સિઝન શરૂઆત થતા જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે છે. એએમસી ફોગીગ સહિત કાર્યવાહી તો કરે છે . પરંતુ ચોમાસા સિઝનમાં મચ્છરનો ઉપદ્રવ વધતાં કેસમાં પણ મોટો ઉછાળો જોવા મળે છે.

પ્રકાશ, બોડકદેવ
પારુલ યુનિવર્સિટી, જોધપુર
એલડીઆર ઈન્ટરનેશનલ, સરખેજ
નિરમા વિદ્યાવિહાર, ચાંદલોડિયા
એલ.જે. તિબ્રેવાલ, બોડકદેવ
આઇપી મિશન, જમાલપુર
એસપી ઝેવિયર્સ, સરદારનગર
આરપી વસાણી, ઠક્કરનગર
આરબી ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયા કોલોની
આઇડીપી, સાબરમતી એશિયન ગ્લોબલ, ચાંદખેડા
શિવશક્તિ, ચાંદખેડા
દીવાન બલ્લુભાઇ, મણિનગર
મેઘદૂત, મણિનગર
જેએલ, મણિનગર
એપોલો, પાલડી
નાલંદા, ઘાટલોડિયા
માઉન્ટ કાર્મેલ, નવરંગપુરા
ત્રિપદા ઇન્ટરનેશનલ, ઘાટલોડિયા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...