Wednesday, January 21, 2026

અમદાવાદની શાળાઓમાં AMCનું ચેકીંગ, આ શાળામાંથી મચ્છરોના બ્રીડિંગ મળ્યા, 25 હજારનો ફટકાર્યો દંડ

spot_img
Share

અમદાવાદ: સાઉથ બોપલમાં ડેન્ગ્યુના એક સાથે 7 કેસ નોંધાતા મ્યુનિ. આરોગ્ય વિભાગે મંગળવારે જુદાજુદા વિસ્તારની સ્કૂલોમાં તપાસ કરી હતી. 214 સ્કૂલમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તેમને નોટિસ આપી રૂ. 2.56 લાખનો દંડ વસૂલ કરાયો હતો. થલતેજની શિવ આશિષ સ્કૂલને સીલ કરાઈ છે. મણિનગરની દીવાન બલ્લુભાઇ, બોડકદેવની પ્રકાશ અને નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી પણ બ્રીડિંગ મળ્યા હતા અને 15 હજારનો વહિવટ ચાર્જ વસુલાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના હેલ્થ વિભાગ હસ્તકની વેક્ટરબોર્ન ડીસીઝ કંટ્રોલ શાખા દ્વારા દરેક ઝોનમાં દ્વારા શહેરમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલો તથા શૈક્ષણિક સંસ્થાઓની પ્રિમાઇસીસની ચેકીગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ચેકીગ દરમ્યાન કુલ 361 એકમ ચેક કરી 214 એકમોને નોટિસ અપાઇ છે. તેમજ 2 લાખ 56 હજાર વહિવટી ચાર્જ વસુલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે હાલની ચોમાસાની ઋતુ દરમ્યાન તાજેતરમાં શહેરમા થયેલા વરસાદના કારણે મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાની તમામ કામગીરી ધનિષ્ઠ બનાવવામાં આવેલ છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ એકમો, સંસ્થાઓની સઘન ઝુબેશરૂપે મચ્છરના બ્રિડીગ અંગેની ચેકીગ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વેય વિભાગના તમામ સ્ટાફ દ્વારા શહેરમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલો તથા શૈક્ષમિક સંસ્થાઓની પ્રિમાઇસીસ ચેકીગ હાથ ધર્યુ હતું.

નોંધનીય છે કે, શહેરના એક મહિનામાં ડેન્ગુયના 171 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. સાદા અને ઝેરી મેલેરિયાના 200 થી વધુ કેસ નોધાયા છે. પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના 1416 કેસ, કમળો-351 કેસ, ટાઇફોઇડ-668 કેસ અને કોલેરાના 48 કેસ નોધાયા છે.
શહેરમાં ચોમાસા સિઝન શરૂઆત થતા જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે છે. એએમસી ફોગીગ સહિત કાર્યવાહી તો કરે છે . પરંતુ ચોમાસા સિઝનમાં મચ્છરનો ઉપદ્રવ વધતાં કેસમાં પણ મોટો ઉછાળો જોવા મળે છે.

પ્રકાશ, બોડકદેવ
પારુલ યુનિવર્સિટી, જોધપુર
એલડીઆર ઈન્ટરનેશનલ, સરખેજ
નિરમા વિદ્યાવિહાર, ચાંદલોડિયા
એલ.જે. તિબ્રેવાલ, બોડકદેવ
આઇપી મિશન, જમાલપુર
એસપી ઝેવિયર્સ, સરદારનગર
આરપી વસાણી, ઠક્કરનગર
આરબી ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયા કોલોની
આઇડીપી, સાબરમતી એશિયન ગ્લોબલ, ચાંદખેડા
શિવશક્તિ, ચાંદખેડા
દીવાન બલ્લુભાઇ, મણિનગર
મેઘદૂત, મણિનગર
જેએલ, મણિનગર
એપોલો, પાલડી
નાલંદા, ઘાટલોડિયા
માઉન્ટ કાર્મેલ, નવરંગપુરા
ત્રિપદા ઇન્ટરનેશનલ, ઘાટલોડિયા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...