Tuesday, January 20, 2026

જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણપાર્ક સુધીના રોડને 24 મીટર પહોળો કરવામાં આવશે, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુકાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના જુના વાડજ AMTS બસ સ્ટેન્ડથી નવા વાડજ કિરણભાઈ સર્કલ થઈ વિજયનગર ક્રોસીંગ સુધીના રોડને 24 મીટરનો કરવામાં આવશે. હાલમાં બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીનો રોડ આડો-અવળો છે. રોડ પર કાચા- પાકા મકાનો તેમજ દુકાનો આવેલી છે, જે તોડવામાં આવશે. કુલ 140 જેટલા રહેણાંક અને 10 જેટલા કોમર્શીયલ જગ્યાઓ તોડી પાડવામાં આવશે. જેથી, આ રસ્તો પહોળો કરવામાં કેટલોક ભાગ તુટશે. આ રોડ લાઈનના અમલ માટેની દરખાસ્ત આવતી કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુના વાડજ સર્કલ પર અંડર બ્રિજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે. આ પ્રોજેકટને બે વર્ષ કે તેથી વધારે સમય લાગી શકે તેમ છે. જેના કારણે વૈકલ્પિક રસ્તાની પણ આવશ્યતા રહેશે. જેના કારણે જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીના રોડને પહોળો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. રોજના 30થી 40 હજાર કરતાં વધારે વાહનો ત્યાંથી પસાર થતાં હોય છે ત્યારે વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઇ વાડજની ટીપી 28 અને ટીપી 15 વચ્ચે આ રસ્તો 24.4 મીટરનો કરવા માટે મ્યુનિ.ને 4099 ચો.મી. જગ્યાને ખુલ્લી કરવામાં આવશે.

​​​​​​​આ રોડ ખોલવામાં આવશે ત્યારે રોડ લાઈનમાં જે જગ્યા પરના માલિકી પુરાવા હશે અને માલિક હશે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વળતર, એફએસઆઇનો લાભ કે ટીડીઆરનો લાભ આપવામાં આવશે. જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણપાર્ક તરફ જતાં ઓડનો ટેકરો, મોચી વાસ સહિતના રોડ પર આવેલા ગેરકાયદેસર કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...