Wednesday, March 11, 2026

જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણપાર્ક સુધીના રોડને 24 મીટર પહોળો કરવામાં આવશે, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુકાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના જુના વાડજ AMTS બસ સ્ટેન્ડથી નવા વાડજ કિરણભાઈ સર્કલ થઈ વિજયનગર ક્રોસીંગ સુધીના રોડને 24 મીટરનો કરવામાં આવશે. હાલમાં બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીનો રોડ આડો-અવળો છે. રોડ પર કાચા- પાકા મકાનો તેમજ દુકાનો આવેલી છે, જે તોડવામાં આવશે. કુલ 140 જેટલા રહેણાંક અને 10 જેટલા કોમર્શીયલ જગ્યાઓ તોડી પાડવામાં આવશે. જેથી, આ રસ્તો પહોળો કરવામાં કેટલોક ભાગ તુટશે. આ રોડ લાઈનના અમલ માટેની દરખાસ્ત આવતી કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુના વાડજ સર્કલ પર અંડર બ્રિજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે. આ પ્રોજેકટને બે વર્ષ કે તેથી વધારે સમય લાગી શકે તેમ છે. જેના કારણે વૈકલ્પિક રસ્તાની પણ આવશ્યતા રહેશે. જેના કારણે જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણ પાર્ક સુધીના રોડને પહોળો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. રોજના 30થી 40 હજાર કરતાં વધારે વાહનો ત્યાંથી પસાર થતાં હોય છે ત્યારે વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઇ વાડજની ટીપી 28 અને ટીપી 15 વચ્ચે આ રસ્તો 24.4 મીટરનો કરવા માટે મ્યુનિ.ને 4099 ચો.મી. જગ્યાને ખુલ્લી કરવામાં આવશે.

​​​​​​​આ રોડ ખોલવામાં આવશે ત્યારે રોડ લાઈનમાં જે જગ્યા પરના માલિકી પુરાવા હશે અને માલિક હશે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકીય વળતર, એફએસઆઇનો લાભ કે ટીડીઆરનો લાભ આપવામાં આવશે. જુના વાડજ બસ સ્ટેન્ડથી કિરણપાર્ક તરફ જતાં ઓડનો ટેકરો, મોચી વાસ સહિતના રોડ પર આવેલા ગેરકાયદેસર કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...