Friday, May 1, 2026

અમદાવાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહ્યા હાજર, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા અમદાવાદના વિરાટનગરમાં તિરંગાયાત્રાનું આયોજન કરાયું હતુ, આ તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહ્યાં હતા. વિરાટનગરના કેસરી નંદન ચોકથી તિરંગાયાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રાનો નિકોલના ખોડીયાર મંદિર સુધીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અમદાવાદના લોકો સામેલ થયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલાં રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 13 ઓગસ્ટના રોજ (મંગળવારે) અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. સાંજે 5.20 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, વિરાટનગર ફુવારા સર્કલથી ચાલુ થયેલી 3 કિમી લાંબી તિરંગા યાત્રા નિકોલ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થઇ છે. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ કિલોમીટર સુધી યાત્રામાં ચાલતા જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન યુવાનીઓમાં નવ ઉર્જા ભરવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો કાર્યક્રમ દેશ ભક્તિની અભિવ્યક્તિની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતનું એક પ્રતિક બન્યું છે, 15મીએ દરેક ઘર પર વાહન પર તેમજ ઓફિસ અને કચેરી પર તિરંગો લહેરાય અને દેશભક્તિનો વાતાવરણ ઉભો થાય તેવું કાર્ય કરવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, દેશને મળેલી મહામૂલી આઝાદીનો ગૌરવ ગાન કરવા માટે તેમજ આઝાદીના લડવૈયાઓને યાદ કરવા માટે હર ઘર તિરંગા યાત્રાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપી છે. આ અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે 2047માં આપણે આઝાદીની સતાબ્દી ઉજવવાના છીએ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...