Wednesday, March 4, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર વધતા ટ્રાફિકને લઈને પોલીસની ડ્રાઈવ, 66 રિક્ષાઓ ડિટેઈન

spot_img
Share

અમદાવાદ : શહેરના કાલુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ટ્રાફિક સર્જાઇ રહ્યો છે. આ ટ્રાફિક અંગે ઉચ્ચ અધિકારીઓ સુધી નોંધ લેવામાં આવી છે. ત્યારે ગઈકાલે (18 ઓગસ્ટ) ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરને બેસાડનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આઠ કલાકમાં 66 જેટલી રિક્ષા ડિટેઇન કરી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરને બેસાડનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આઠ કલાકમાં 66 જેટલી રિક્ષા ડિટેઇન કરી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના ઇનગેટથી લઈને આઉટ ગેટ સુધી રોડ પર ખૂબ ટ્રાફિક જામ થાય છે, જેથી શનિવારે સાંજે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. E ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જર બેસાડેલી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસે 8 કલાકમાં 66 રિક્ષા ડિટેઇન કરી હતી.

E ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈએ જણાવ્યું હતું કે,રેલવે સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ કામ ચાલુ હોવાથી રોડ સાંકડો થયો છે. સાકડા રોડમાં પણ કેટલાક રિક્ષાચાલકો અડચણરૂપ પાર્કિંગ કરી રહ્યા છે તથા જરૂરિયાત કરતા વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે, જેને લઇને ગઈકાલે ડ્રાઇવ યોજવામાં આવી હતી. તમામ પોલીસ કર્મચારીઓને સતત ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ટ્રાફિક ઓછો થઈ શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...