Saturday, January 24, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર વધતા ટ્રાફિકને લઈને પોલીસની ડ્રાઈવ, 66 રિક્ષાઓ ડિટેઈન

spot_img
Share

અમદાવાદ : શહેરના કાલુપુર રેલવે સ્ટેશન બહાર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ટ્રાફિક સર્જાઇ રહ્યો છે. આ ટ્રાફિક અંગે ઉચ્ચ અધિકારીઓ સુધી નોંધ લેવામાં આવી છે. ત્યારે ગઈકાલે (18 ઓગસ્ટ) ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરને બેસાડનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આઠ કલાકમાં 66 જેટલી રિક્ષા ડિટેઇન કરી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન બહાર રિક્ષાઓ માટેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જરને બેસાડનાર રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આઠ કલાકમાં 66 જેટલી રિક્ષા ડિટેઇન કરી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના ઇનગેટથી લઈને આઉટ ગેટ સુધી રોડ પર ખૂબ ટ્રાફિક જામ થાય છે, જેથી શનિવારે સાંજે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. E ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકમાં અડચણરૂપ પાર્ક કરેલી રિક્ષા અને કેપેસિટી કરતા વધુ પેસેન્જર બેસાડેલી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસે 8 કલાકમાં 66 રિક્ષા ડિટેઇન કરી હતી.

E ડિવિઝન પીઆઈ વી. કે. દેસાઈએ જણાવ્યું હતું કે,રેલવે સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ કામ ચાલુ હોવાથી રોડ સાંકડો થયો છે. સાકડા રોડમાં પણ કેટલાક રિક્ષાચાલકો અડચણરૂપ પાર્કિંગ કરી રહ્યા છે તથા જરૂરિયાત કરતા વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે, જેને લઇને ગઈકાલે ડ્રાઇવ યોજવામાં આવી હતી. તમામ પોલીસ કર્મચારીઓને સતત ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ટ્રાફિક ઓછો થઈ શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...