Friday, July 17, 2026

અમેરિકામાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના, આ કારણે સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ પડ્યું

spot_img
Share

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય છે. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હ્યુસ્ટનથી લગભગ 35 કિલોમીટર દૂર સુગર લેન્ડમાં આવેલા શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં આવેલી આ હનુમાન પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ ભારતની બહાર સૌથી ઊંચી પ્રતિમા છે. જ્યારે તે ટેક્સાસની પણ સૌથી ઊંચી પ્રતિમા છે. 15થી 18 ઓગસ્ટ દરમિયાન આયોજિત એક વિશેષ સમારોહ દરમિયાન સત્તાવાર રીતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે ભારતના સ્વતંત્રતા દિવસ સાથે પણ જોડાયેલી હતી. આયોજકોએ પ્રતિમાને “નિઃસ્વાર્થતા, ભક્તિ અને એકતા”ના પ્રતીક તરીકે વર્ણવી હતી, જે ભગવાન શ્રીરામ અને સીતા માતાનું ફરીથી મિલન કરાવવામાં હનુમાનજીની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે. પ્રતિમાના અભિષેક દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભગવાનની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.

આ પ્રતિમાનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિયન કેમ રાખવામાં આવ્યું. તમે જાણતા જ હશો કે જ્યારે માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન રામે આખી વાનર સેનાને ચારેય દિશામાં શોધવા માટે મોકલી હતી. ત્યારે ભગવાન હનુમાન ભારતના છેવાડે એટલે કે રામેશ્વરમ પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ લંકા ગયા હતા. તે માતા સીતાને મળ્યા પછી પાછો ફર્યા અને ભગવાનને તેના વિશે જાણ કરી અને પછી ભગવાને લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો અને માતા સીતાને પાછી મેળવી. ભગવાન રામ અને માતા સીતાને એક કરવામાં ભગવાન હનુમાનનું બહુ મોટું યોગદાન છે. આ કારણથી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...