Tuesday, October 14, 2025

અમેરિકામાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના, આ કારણે સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ પડ્યું

Share

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય છે. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હ્યુસ્ટનથી લગભગ 35 કિલોમીટર દૂર સુગર લેન્ડમાં આવેલા શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં આવેલી આ હનુમાન પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ ભારતની બહાર સૌથી ઊંચી પ્રતિમા છે. જ્યારે તે ટેક્સાસની પણ સૌથી ઊંચી પ્રતિમા છે. 15થી 18 ઓગસ્ટ દરમિયાન આયોજિત એક વિશેષ સમારોહ દરમિયાન સત્તાવાર રીતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે ભારતના સ્વતંત્રતા દિવસ સાથે પણ જોડાયેલી હતી. આયોજકોએ પ્રતિમાને “નિઃસ્વાર્થતા, ભક્તિ અને એકતા”ના પ્રતીક તરીકે વર્ણવી હતી, જે ભગવાન શ્રીરામ અને સીતા માતાનું ફરીથી મિલન કરાવવામાં હનુમાનજીની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે. પ્રતિમાના અભિષેક દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભગવાનની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.

આ પ્રતિમાનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિયન કેમ રાખવામાં આવ્યું. તમે જાણતા જ હશો કે જ્યારે માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન રામે આખી વાનર સેનાને ચારેય દિશામાં શોધવા માટે મોકલી હતી. ત્યારે ભગવાન હનુમાન ભારતના છેવાડે એટલે કે રામેશ્વરમ પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ લંકા ગયા હતા. તે માતા સીતાને મળ્યા પછી પાછો ફર્યા અને ભગવાનને તેના વિશે જાણ કરી અને પછી ભગવાને લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો અને માતા સીતાને પાછી મેળવી. ભગવાન રામ અને માતા સીતાને એક કરવામાં ભગવાન હનુમાનનું બહુ મોટું યોગદાન છે. આ કારણથી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...