Friday, November 28, 2025

અમેરિકામાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના, આ કારણે સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ પડ્યું

spot_img
Share

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા હોવાનું કહેવાય છે. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હ્યુસ્ટનથી લગભગ 35 કિલોમીટર દૂર સુગર લેન્ડમાં આવેલા શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં આવેલી આ હનુમાન પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ ભારતની બહાર સૌથી ઊંચી પ્રતિમા છે. જ્યારે તે ટેક્સાસની પણ સૌથી ઊંચી પ્રતિમા છે. 15થી 18 ઓગસ્ટ દરમિયાન આયોજિત એક વિશેષ સમારોહ દરમિયાન સત્તાવાર રીતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે ભારતના સ્વતંત્રતા દિવસ સાથે પણ જોડાયેલી હતી. આયોજકોએ પ્રતિમાને “નિઃસ્વાર્થતા, ભક્તિ અને એકતા”ના પ્રતીક તરીકે વર્ણવી હતી, જે ભગવાન શ્રીરામ અને સીતા માતાનું ફરીથી મિલન કરાવવામાં હનુમાનજીની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે. પ્રતિમાના અભિષેક દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભગવાનની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.

આ પ્રતિમાનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિયન કેમ રાખવામાં આવ્યું. તમે જાણતા જ હશો કે જ્યારે માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન રામે આખી વાનર સેનાને ચારેય દિશામાં શોધવા માટે મોકલી હતી. ત્યારે ભગવાન હનુમાન ભારતના છેવાડે એટલે કે રામેશ્વરમ પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ લંકા ગયા હતા. તે માતા સીતાને મળ્યા પછી પાછો ફર્યા અને ભગવાનને તેના વિશે જાણ કરી અને પછી ભગવાને લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો અને માતા સીતાને પાછી મેળવી. ભગવાન રામ અને માતા સીતાને એક કરવામાં ભગવાન હનુમાનનું બહુ મોટું યોગદાન છે. આ કારણથી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...