Sunday, January 25, 2026

નારણપુરામાં HARF દ્વારા હાઉસિંગ વસાહતોનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે HARF દ્વારા હાઉસિંગ વસાહતોના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ શનિવારે સાંજે યોજાયો હતો.જેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની યોજનાઓમાં વસતા તેજસ્વી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનું ટ્રોફી અને સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસીંગ બોર્ડની યોજનાઓ વસતા હાઉસીંગ રહીશો એક સમાજની જેમ એક મંચ પર આવે અને હાઉસીંગ રહીશોનો વિકાસ થાય તથા હાઉસીંગ રહીશોના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરાયુ હતુ.ગઈકાલે તારીખ-24/8/2024, શનિવારે સાંજે હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન (HARF) દ્વારા નારણપુરા વિસ્તારમાં આવેલ GSC બેંકના હોલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની યોજનાઓમાં વસતા તેજસ્વી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનું ટ્રોફી અને સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.જેમાં લગભગ 152 વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. હાઉસીંગ એક પરિવાર હાઉસિંગ એક સમાજના સૂત્ર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારોહના વિશેષ અતિથિ અને સ્પીકર તરીકે સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ જનકભાઈ ખાંડવાલા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થી વાલીઓને શિક્ષણ બાબતે સકારાત્મક અને અસરકારક સંબોધન કર્યું હતું. આ ઉપરાંત હાઉસીંગ આગેવાનો ગોરધનભાઈ પટેલ, પ્રવીણાબા ગોહિલ, અશ્વિનભાઈ સુમેર્યા,અનિલભાઈ ઠક્કર, વિજયભાઈ કોડવાની, ઉત્તમભાઈ સુરતી, મનુભાઈ ચૌધરી, વિશાલભાઈ કંથારિયા અને સંદીપભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...