Thursday, January 22, 2026

અમદાવાદીઓ તમારા ઘરની આસપાસ ગંદકી કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા AMCમાં 155303 પર ફરિયાદ કરો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાવવાના કારણે અનેક જગ્યાએ કચરો એકત્રિત થઈ ગયો હતો. ગટરની કેચપીટો અને ગટરોના ઢાંકણાની આસપાસ કચરો ફેલાયો હતો. ઉપર કાદવ-કીચડ એકત્રિત થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 140 જેટલી ટીમો બનાવી સફાઈ કામદારો દ્વારા શહેરમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કોઈપણ નાગરિકોને ઘર અથવા સોસાયટીની આસપાસ જંતુનાશક દવાનો છંટકાવ, કાદવ-કીચડ દૂર કરવા અથવા સફાઈ યોગ્ય ન થઈ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર 155303 પર ફોન કરી અથવા ઓનલાઇન કોર્પોરેશનની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકે છે.

શહેરમાં ઠક્કરનગર ઓવરબ્રિજ રોડ, સરસપુર-રખિયાલ-પોટલિયા રોડ, મણિનગર-ઉત્તમનગર ગાર્ડન રોડ, ઇસનપુર ગોવિંદવાડી સર્કલ રોડ, લાંભા-નારોલ માર્કેટ રોડ, દરિયાપુર-દિલ્હી દરવાજાથી શાહપુર મેટ્રો સ્ટેશન રોડ, શાહપુર-પોલીસ સ્ટેડિયમ રોડ, ગોતા-ગોતા ચોકડી, બ્રિજની નીચેનો વિસ્તાર, શાયોના અંડરબ્રિજ, ચાંદલોડિયા-ગૌરવપંથ રોડ, વંદેમાતરમ્ રોડ, ઘાટલોડિયા- ચાણક્યપુરી બ્રિજ, બોડકદેવ-આંબલી-બોપલ રોડ, થલતેજ-ન્યુ યોર્ક ટાવર એસ.જી.હાઇવે, ગોમતીપુર-બળિયા કાકા રોડ, અમરાઈવાડી-સ્વસ્તિક ચાર રસ્તાથી મથુર માસ્ટર ચાર રસ્તા રોડ, વિરાટનગર-સોનીની ચાલી રોડ કાદવ-કીચડ અને માટી ન્યૂસન્સ ટેન્કરથી ધોવડાવી દૂર કરાવવાની કામગીરી કરવામાં આવી હતી.

પૂર્વ વિસ્તારમાં જ્યાં સૌથી વધુ પાણી ભરાયા હતા એવા નિકોલ-શુકન ચાર રસ્તાથી મોડલ રોડ રિંગરોડ સુધી, વસ્ત્રાલ-માધવ ગાર્ડન રોડ, પાલડી-Nid ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા રોડ, વાસણા, વાસણા AMTS બસ ટર્મિનલ રોડથી પ્રજાપતિ ગાર્ડન વાસણા રોડ, નવરંગપુરા, આઇ.આઈ. એમ.રોડ પાંજરાપોળ, નારણપુરા-શાસ્ત્રીનગર રોડ, નવાવાડજ-ભીમજીપુરાથી અખબારનગર સુધી, સરદારનગર-ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ રોડ અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ રોડ (આઇકોનિક રોડ), નરોડા-હિલોની મામલતદાર ઓફિસ રોડ નરોડા, સૈજપુર -મેમ્કો સ્પોર્ટ્સ સંકુલ રોડ, મેમ્કો બ્રિજ, કુબેરનગર-છારાનગર રોડ, કુબેરનગર-બાપુનગર-મરઘા ફાર્મ રોડ, ઇન્ડિયા કોલોની-ઠક્કરનગર એપ્રોચથી હીરાવાડી ચાર રસ્તા, ઠક્કરનગર-ઠક્કરનગર ઓવરબ્રિજ રોડ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ 7 ઝોનમાં 140 જેટલી ટીમો દ્વારા કેચપીટ પરનાં ફ્લોટીંગ વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું હતું. સફાઈ કામદારો મારફતે 11264 કુલ કેચપીટો પરના કચરાને દૂર કરવામાં આવ્યો હતો. 40 JCB -બોબકેટ અને 97 ટ્રકો જેવી મશીનરી દ્વારા પિરાણા ખાતે કચરાનો નિકાલ કરાયો હતો. 7 ઝોનમાં અંદાજિત 6777 કિ.ગ્રા. લાઈમ ડસ્ટ અને 4795 કિ.ગ્રા. મેલેથિયોન એમ કુલ 11572 કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...