Tuesday, September 16, 2025

નવા વાડજમાં ઉત્સવ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ, રહીશોમાં કહીં ખુશી…કહી ગમ…જેવો માહોલ

Share

Share

અમદાવાદ : જેની છેલ્લાં કેટલાંય સમયથી કાગડોળે રાહ જોવાતી હતી એવા નવા વાડજના ઉત્સવ એપાર્ટમેન્ટનું રિડેવલોપમેન્ટ હવે પૂર્ણતાના આરે છે.કોરોના સમય પહેલાથી નવા વાડજ વિસ્તારમાં જેની સૌથી વધુ ચચા હતી એવા ઉત્સવ એપાર્ટમેન્ટનું રિડેવલોપમેન્ટને આગામી સમયમાં આખરી ઓપ અપાય તેવી શકયતાઓ જોવાઈ રહી છે.

જો કે આ ઉત્સવ એપાર્ટમેન્ટના રિડેવલોપમેન્ટ મુદ્દે રહીશોમાં હજુ સુધી કહીં ખુશી…કહીં ગમ…જેવો માહોલ જોવા મળી રહ્યો છે.સોસાયટીના રિડેવલોપમેન્ટ મામલે મોટાભાગના રહીશો અગાઉ મૌખિક રીતે સંમતિ આપી ચુકયા છે પરંતુ રિડેવલોપમેન્ટ નજીક આવતા અનેક મુદ્દે રહીશોમાં મતભેદો હોવાનું જાણવા મળ્યું છે.જેમાં મુખ્યત્વે બિલ્ડર દ્વારા એક જ સોસાયટીના બે અલગ અલગ ભાગ પાડીને બે અલગ અલગ પ્રકારના ફલેટની યોજના ધરાવે છે જેના કારણે રહીશો આ મામલે પ્રચંડ વિરોધ કરી રહ્યા છે.

આ સિવાય અનેક રહીશો હાઉસીંગ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ રિડેવલોપમેન્ટ નીતિનો જ વિરોધ કરી રહ્યા છે અને ફરિયાદ સ્વરૂપે જણાવી રહ્યાં છે કે બિલ્ડર દ્વારા ખુબ જ નાના બાંધકામની સ્કીમ લાવવામાં આવી છે.તો કેટલાંક લોકો તો હજુ રાહ જુઓ…સમય જતા સરકાર કે હાઉસીંગ બોર્ડ દ્વારા આનાથી વધુ મોટા બાંધકામની સ્કીમ આવશે ત્યારે પસ્તાવાનો વારો આવશે એવું જણાવી રહ્યા છે, તેઓ સાથે વધુમાં એવું પણ જણાવી રહ્યા છે કે ઉત્સવ એપાર્ટમેન્ટમાં ફલેટોમાં બાંધકામ એટલા પણ જર્જરિત થઈ ગયા નથી કે આટલી ઉતાવળ કરવી પડે.

આમ એકદંરે ઉત્સવ એપાર્ટમેન્ટ રિડેવલોપમેન્ટ મિશ્ર પ્રતિભાવો લોકોના જોવા મળી રહ્યાં છે ત્યારે આગામી કેટલાંક દિવસોમાં સમગ્ર મામલે સર્વસંમતિ સધાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...