Thursday, March 5, 2026

નવરાત્રીમાં ગરબા આયોજકો ખાસ વાંચી લે 22 નિયમની ગાઇડલાઇન, નહીંતર રંગમાં ભંગ નક્કી!

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ આ વખતે રાજકોટ અગ્નિકાંડને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. આયોજકો માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં 22 નિયમો જાહેર કરાયા છે. નાનાથી લઈને મોટા ગરબાનું આયોજન કરનારા તમામ લોકોએ ફાયર વિભાગના જાહેર કરેલા આ નિયમોનું પાલન કરવાનું રહેશે.

નવરાત્રી દરમિયાન ફાયર વિભાગની ટીમ ગરબાના સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને જો એકપણ નિયમનો ભંગ થતો જણાય તો તાત્કાલિક ગરબા બંધ કરાવી દેવામાં આવશે અને આયોજક સામે કાર્યવાહી પણ કરવામાં આ‌વશે. ત્યાર બાદ ફરી વખત તેને ગરબાનું આયોજન કરવા દેવામાં નહિ આવે. ખાસ તો આ વખતે ગરબાના સ્થળે સ્ટોલ રાખી શકાશે નહિ, જ્યારે ફરજિયાત બે એક્ઝિટ ગેટ રાખવા પડશે.

નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર આયોજન કરવાનું રહેશે. મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, હાઈટેન્શન લાઈન કે રેલવે લાઈનથી દૂર કરવાના રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં.

આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં તથા આ સ્ટ્રક્ચરના સ્ટેજની નજીક કે સ્ટેજના નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઈપણ પ્રકારના પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં.

પંડાલની ક્ષમતા મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચો.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.

નવરાત્રીના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહીં. ઇમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઇમરજન્સી એક્ઝિટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ, દર્શકો, ખેલૈયાઓ પ્રવેશે છે, તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા ઓછામાં ઓછા બે “Emergency Exit” રાખવાના રહેશે. જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 5 મી. ઓપનિંગ હોય તે મુજબનું રાખવાનું રહેશે.

નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક ઓટો ગ્લો મટીરીયલમાં સાઈન લગાવવા- “NO SMOKING ZONE”, “Exit” “Emergency Exit”.

નવરાત્રી આયોજક દ્વારા સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મી.થી વધારે ન હોવો જોઈએ.

આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટ કરાવવા, વધુમાં જમીન ઉપર બિછાવવા જો, કાર્પેટ પણ આગ સકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે. આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઇલેક્ટ્રિક વાયરિંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ અંગે ગર્વમેન્ટ એપ્રુવ્ડ ઇલેક્ટ્રિક ઇજનેર પાસે ચકાસણી કરાવવાની રહેશે.

પંડાલમાં કરવામાં આવનાર વાયરિંગ પીવીસી આવરણવાળા કંડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરિંગના તમામ જોઈન્ટ પોર્સેલિન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે.

આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂરના અંતરે રાખવાનું રહેશે. આયોજકો દ્વારા ઇલેક્ટ્રિકનું મુખ્ય સ્વિચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ.માં બનાવવામાં આવેલ હોવું જોઈએ તથા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેક્ટ્રિક જંક્શન બોર્ડ પાઈલોટ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.

સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબલાઈટ કે તેના કોઈ પાર્ટ્સ કે મંડપના કોઈ ભાગ કે શુશોભન અથવા સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા 15 સે.મી.ની અંદર રાખવાના રહેશે નહીં.

સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહારના સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી કે પદાર્થ, પ્રવાહી રાખવાના રહેશે નહીં તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં.

સંચાલકો દ્વારા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ કે રસોઈ બનાવવાની સામગ્રી, ધૂમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પદાર્થ કે જ્યોત ઇત્યાદિ રાખવાની રહેશે નહીં.

મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલ હોય તો ફરજિયાત તેમાં સેફ્ટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે.

સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી-આઈ/જી.આઈ. સીટ 6 સે.મી. કરતા ઓછી ન હોય તે મુજબની રાખવાની રહેશે.

સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે. મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંસેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવાના રહેશે.

સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ફાયર એક્સ્ટિંગ્ગુઇશરનો ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિઓને અચૂક રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.

સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે.

પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયાના 0.75 લિટર/ચો.મી. કરતા ઓછો હોવો જોઈએ નહીં તથા પાણીનો પુરવઠો ડ્રમ/બકેટમાં સુવ્યવસ્થિત ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.

અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગતા વિભાગના ના-વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...