Thursday, January 22, 2026

કેનેડા જવાની લાયમાં લૂંટાઈ ન જતાં, અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અમદાવાદના મકરબા વિસ્તારમાં કેનેડાના વિઝા આપવાને બહાને કરાતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં મકરબા વિસ્તારમાં આવેલી એક ઇમીગ્રેશન ઓફિસના સંચાલકોએ સ્કીલના આધારે કેનેડાના વિઝા અપાવવાનું કહીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક મહિલાને નાણાં લેવાની સાથે તેમના અસલી પાસપોર્ટ અને દસ્તાવેજો લઇને ધમકી આપવામાં આવી હતી. આ મામલે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ઇમીગ્રેશન ઓફિસના સંચાલક કેનેડાના નાગરિક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં રરહેતી એક મહિલા સલૂન ચલાવે છે. તેમને સલૂનના સ્કીલ બેઝ્ડ પર કેનેડામાં જવાનું હોવાથી મકરબામાં આવેલા આર્શીવાદ પારસ-1 કોમ્પલેક્સમાં આવેલી પેસિફિક રીલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા. જ્યાં સંચાલક નિતિન પાટીલ, વિજયા સાવલએ તેમને કેનેડામાં સ્કીલ આધારિત વિઝા પર સેટલ કરવા માટે 45 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે આટલી મોટી રકમ ન હોવાથી મહિલા પરત ઘરે ગઈ હતી.

બીજી તરફ નિતિનના માણસે મહિલાને કોલ કરીને 30 લાખમાં મોકલવાનું કહીને પાસપોર્ટ આવી જાય ત્યારે 15 લાખ અને બાકીના 15 લાખ કેનેડામાં બિઝનેસની આવક થાય ત્યારે ચુકવી આપવાનું કહ્યું હતું. આ વિઝા માટે ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર જરૂરી હતુ. જ્યારે મહિલા ધોરણ 10 પાસ હોવાથી તેમણે કેનેડા જવાનું ટાળ્યું હતું. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે નિતિન પાટીલ તમને ધોરણ ૧૨ પાસનું બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરાવી આપશે. પરંતુ મહિલાએ બનાવટી પ્રમાણપત્રથી વિઝા લેવાની ના કહ્યું હતુ. ત્યારે નિતિનના સ્ટાફના માણસે કહ્યું હતું કે એક વ્યક્તિને ધોરણ 12ના બનાવટી સર્ટિફિકેટથી કેનેડા મોકલીને સેટ કરી દીધો છે. તેમજ કેનેડામાં રહેતા વિજયા સાવલેને પણ આ રીતે જ કેનેડા મોકલ્યા છે.

આમ, કોઇ કેસ નહી થાય તેમ જણાવીને વિશ્વાસ કેળવીને પ્રોસેસના નામે દસ્તાવેજ અને પાસપોર્ટ લીધા હતા. જ્યારે નિતિન પાટીલ સાથે કામ કરતી વિજયા સાવલેએ બેંકમાં જમા નહી કરવાની ખાતરી આપીને મહિલા પાસેથી પ્રોસેસના નામે બે ચેક લીધા હતા.પરંતુ, કેનેડા ગયા બાદ ચેકને ડીપોઝીટ કરીને ચાર લાખ રૂપિયા લઇ લીધા હતા. આ પહેલા ચાર લાખ રોકડા લીધા હતા. આમ, જાણ બહાર ચાર લાખનો ચેક વટાવી લેતા મહિલાએ કેનેડાની ફાઇલ મુકવાની ના કહીને નાણાં, અસલી પાસપોર્ટ પરત માંગ્યા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ ચેક બાઉન્સનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.

આમ મહિલા પાસેથી 8 લાખ રૂપિયા તથા તેમનો અસલી પાસપોર્ટ લેવા બાબતે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. આ પ્રકારે આરોપીઓે અનેક લોકોને શીશામાં ઉતાર્યા હોવો પણ આરોપ મુકવામાં આવ્યો છે. જેને પગલે હવેની તપાસમાં મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...