Wednesday, March 4, 2026

કેનેડા જવાની લાયમાં લૂંટાઈ ન જતાં, અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અમદાવાદના મકરબા વિસ્તારમાં કેનેડાના વિઝા આપવાને બહાને કરાતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં મકરબા વિસ્તારમાં આવેલી એક ઇમીગ્રેશન ઓફિસના સંચાલકોએ સ્કીલના આધારે કેનેડાના વિઝા અપાવવાનું કહીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક મહિલાને નાણાં લેવાની સાથે તેમના અસલી પાસપોર્ટ અને દસ્તાવેજો લઇને ધમકી આપવામાં આવી હતી. આ મામલે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ઇમીગ્રેશન ઓફિસના સંચાલક કેનેડાના નાગરિક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં રરહેતી એક મહિલા સલૂન ચલાવે છે. તેમને સલૂનના સ્કીલ બેઝ્ડ પર કેનેડામાં જવાનું હોવાથી મકરબામાં આવેલા આર્શીવાદ પારસ-1 કોમ્પલેક્સમાં આવેલી પેસિફિક રીલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા. જ્યાં સંચાલક નિતિન પાટીલ, વિજયા સાવલએ તેમને કેનેડામાં સ્કીલ આધારિત વિઝા પર સેટલ કરવા માટે 45 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે આટલી મોટી રકમ ન હોવાથી મહિલા પરત ઘરે ગઈ હતી.

બીજી તરફ નિતિનના માણસે મહિલાને કોલ કરીને 30 લાખમાં મોકલવાનું કહીને પાસપોર્ટ આવી જાય ત્યારે 15 લાખ અને બાકીના 15 લાખ કેનેડામાં બિઝનેસની આવક થાય ત્યારે ચુકવી આપવાનું કહ્યું હતું. આ વિઝા માટે ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર જરૂરી હતુ. જ્યારે મહિલા ધોરણ 10 પાસ હોવાથી તેમણે કેનેડા જવાનું ટાળ્યું હતું. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે નિતિન પાટીલ તમને ધોરણ ૧૨ પાસનું બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરાવી આપશે. પરંતુ મહિલાએ બનાવટી પ્રમાણપત્રથી વિઝા લેવાની ના કહ્યું હતુ. ત્યારે નિતિનના સ્ટાફના માણસે કહ્યું હતું કે એક વ્યક્તિને ધોરણ 12ના બનાવટી સર્ટિફિકેટથી કેનેડા મોકલીને સેટ કરી દીધો છે. તેમજ કેનેડામાં રહેતા વિજયા સાવલેને પણ આ રીતે જ કેનેડા મોકલ્યા છે.

આમ, કોઇ કેસ નહી થાય તેમ જણાવીને વિશ્વાસ કેળવીને પ્રોસેસના નામે દસ્તાવેજ અને પાસપોર્ટ લીધા હતા. જ્યારે નિતિન પાટીલ સાથે કામ કરતી વિજયા સાવલેએ બેંકમાં જમા નહી કરવાની ખાતરી આપીને મહિલા પાસેથી પ્રોસેસના નામે બે ચેક લીધા હતા.પરંતુ, કેનેડા ગયા બાદ ચેકને ડીપોઝીટ કરીને ચાર લાખ રૂપિયા લઇ લીધા હતા. આ પહેલા ચાર લાખ રોકડા લીધા હતા. આમ, જાણ બહાર ચાર લાખનો ચેક વટાવી લેતા મહિલાએ કેનેડાની ફાઇલ મુકવાની ના કહીને નાણાં, અસલી પાસપોર્ટ પરત માંગ્યા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ ચેક બાઉન્સનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.

આમ મહિલા પાસેથી 8 લાખ રૂપિયા તથા તેમનો અસલી પાસપોર્ટ લેવા બાબતે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. આ પ્રકારે આરોપીઓે અનેક લોકોને શીશામાં ઉતાર્યા હોવો પણ આરોપ મુકવામાં આવ્યો છે. જેને પગલે હવેની તપાસમાં મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...