Wednesday, March 4, 2026

અમદાવાદીઓ, હેલ્મેટ ન પહેર્યું તો તમારુ લાયસન્સ ગયું સમજો, ટ્રાફીક પોલીસ કરી રહી છે આ મોટી કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ: હાઇકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટે ટ્રાફિક પોલીસે RTOમાં વિગત આપીને રિપોર્ટ કર્યો છે. જ્યારે 2 હજાર વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેનો રિપોર્ટ કર્યો છે. સમગ્ર રાજ્યની RTOમાં આ રિપોર્ટ કરીને વાહનચાલકોની વિગત આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટે ટ્રાફિક પોલીસે RTOમાં વિગત આપીને રિપોર્ટ કર્યો છે. તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પણ ટ્રાફિક પોલીસને સૂચન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે હવે ટ્રાફિક પોલીસ જે લોકો હેલ્મેટ પહેરીને વાહન નથી ચલાવતા, સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે તેવા 2 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ RTOને આપવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યની RTOમાં રિપોર્ટ કરીને વાહનચાલકોનું લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનામાં 151 વાહનચાલકોના લાયસન્સને રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી આરટીઓ દ્વારા 37 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. હાલ હેલ્મેટ વગર વાહન ચલાવતા 3 થી 4 હજાર જેટલા લોકોને રોજ મેમો આપવામાં આવી રહ્યા છે. અગામી દિવસોમાં હવે 6 મેમોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવશે અને લોકો ટ્રાફિકનું પાલન કરે તે હેતુથી ટ્રાફિકનો ભંગ કરતા લોકો સામે કડક પગલા લેવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...