Wednesday, March 18, 2026

એસજી હાઇવે પર AMC પ્લોટો સહિત 8 સ્થળોએ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટ અપાશે, 3000થી વધુ વાહનો પાર્ક થશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશનના પ્લોટમાં અને ઓન સ્ટ્રીટ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યા છે. એસજી હાઇવે, સોલા સાયન્સ સિટી અને જગતપુર સહિતના આસપાસના વિસ્તારમાં કુલ 8 જેટલા પ્લોટમાં પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. એસજી હાઈવે પર જે લોકો અમદાવાદ-ગાંધીનગર અપડાઉન કરતા હોય તેઓ પોતાના વાહનો પાર્ક કરી શકે તેના માટે કારગીલ પેટ્રોલ પંપ, એસજી હાઇવે વોડાફોન પાસે અને ગોતા અંબિકા દાળવડા સેન્ટર પાસે સહિત કુલ અલગ અલગ સ્થળો પર પાર્કિંગ પ્લોટ અને પણમાં કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા આવેલા સાત અલગ અલગ સ્પોટ ઉપર પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવા માટે એસ્ટેટ વિભાગ તરફથી કોન્ટ્રાકટરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. શહેરના એસજી હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તાથી લઇ અને ઇસ્કોન ગાંઠિયા અને ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ સુધીનો સર્વિસ રોડ આખો પે એન્ડ પાર્ક તરીકે હાલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. ઇસ્કોન ચાર રસ્તાથી વાઈડ એંગલ અને કર્ણાવતી ક્લબ સામેના રોડ ઉપર અનેક વાહનો પાર્ક થતા હોય છે.

ઉપરાંત જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ગ્લોરી પાસે 503 ટુ વ્હીલર અને 597 ફોર વ્હીલર એમ કુલ મળીને 1100 વાહન બે વર્ષના સમય માટે પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે.આ કોન્ટ્રાકટ મેળવવા મ્યુનિ.તંત્રે રુપિયા 26.32 લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરી છે. ઈસ્કોન ક્રોસ રોડથી ચીમનભાઈ ઈન્સ્ટીટયુટ સુધીના રોડ ઉપર પે અન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાકટ માટે રુપિયા 16.55 લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરવામાં આવી છે.જો કે આ જગ્યામાં કુલ કેટલા વાહન પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે એ અંગે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સ્થળ                           ટુવ્હીલર                ફોર વ્હીલર       અપસેટ વેલ્યુ(લાખમાં)

કારગીલ પમ્પની બાજુમાં        652               81              10.27

ગોતા ઓવરબ્રિજ પાસે          127               21               2.18

સાયન્સસીટી મેઈન રોડ         216              196              9.22

એસ.જી.હાઈવે,                  201                49              3.99

વિશ્વાસિટી પાસે,સોલા             60                50              2.41

એડીબી વોટર ટેન્ક પાસે        313                20              4.28

ગણેશ ગ્લોરી પાસે,જગતપુર   503               597             26.32

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...