Thursday, January 15, 2026

એસજી હાઇવે પર AMC પ્લોટો સહિત 8 સ્થળોએ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટ અપાશે, 3000થી વધુ વાહનો પાર્ક થશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશનના પ્લોટમાં અને ઓન સ્ટ્રીટ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યા છે. એસજી હાઇવે, સોલા સાયન્સ સિટી અને જગતપુર સહિતના આસપાસના વિસ્તારમાં કુલ 8 જેટલા પ્લોટમાં પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. એસજી હાઈવે પર જે લોકો અમદાવાદ-ગાંધીનગર અપડાઉન કરતા હોય તેઓ પોતાના વાહનો પાર્ક કરી શકે તેના માટે કારગીલ પેટ્રોલ પંપ, એસજી હાઇવે વોડાફોન પાસે અને ગોતા અંબિકા દાળવડા સેન્ટર પાસે સહિત કુલ અલગ અલગ સ્થળો પર પાર્કિંગ પ્લોટ અને પણમાં કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા આવેલા સાત અલગ અલગ સ્પોટ ઉપર પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવા માટે એસ્ટેટ વિભાગ તરફથી કોન્ટ્રાકટરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. શહેરના એસજી હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તાથી લઇ અને ઇસ્કોન ગાંઠિયા અને ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ સુધીનો સર્વિસ રોડ આખો પે એન્ડ પાર્ક તરીકે હાલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. ઇસ્કોન ચાર રસ્તાથી વાઈડ એંગલ અને કર્ણાવતી ક્લબ સામેના રોડ ઉપર અનેક વાહનો પાર્ક થતા હોય છે.

ઉપરાંત જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ગ્લોરી પાસે 503 ટુ વ્હીલર અને 597 ફોર વ્હીલર એમ કુલ મળીને 1100 વાહન બે વર્ષના સમય માટે પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે.આ કોન્ટ્રાકટ મેળવવા મ્યુનિ.તંત્રે રુપિયા 26.32 લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરી છે. ઈસ્કોન ક્રોસ રોડથી ચીમનભાઈ ઈન્સ્ટીટયુટ સુધીના રોડ ઉપર પે અન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાકટ માટે રુપિયા 16.55 લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરવામાં આવી છે.જો કે આ જગ્યામાં કુલ કેટલા વાહન પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે એ અંગે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સ્થળ                           ટુવ્હીલર                ફોર વ્હીલર       અપસેટ વેલ્યુ(લાખમાં)

કારગીલ પમ્પની બાજુમાં        652               81              10.27

ગોતા ઓવરબ્રિજ પાસે          127               21               2.18

સાયન્સસીટી મેઈન રોડ         216              196              9.22

એસ.જી.હાઈવે,                  201                49              3.99

વિશ્વાસિટી પાસે,સોલા             60                50              2.41

એડીબી વોટર ટેન્ક પાસે        313                20              4.28

ગણેશ ગ્લોરી પાસે,જગતપુર   503               597             26.32

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...