Tuesday, January 20, 2026

અમદાવાદમાં વહેલી સવારે મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ

spot_img
Share

અમદાવાદ : નવરાત્રિમાં અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગરબા દરમિયાન કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. તો બીજી તરફ, ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં પ્રખ્યાત ગોતા પાસે આવેલ મંડળી ગરબામાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગની ચકચારી ઘટના બની છે.જો કે આ ફાયરિંગ સિક્યુરિટીએ કર્યું છે કે કોઈ બીજા તે અંગે કોઈપણ કંઈ બોલવા તૈયાર નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાતમા નોરતે અમદાવાદ શહેરના ગોતા પાસે આવેલા મંડળી ગરબામાં ચાલુ ગરબે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અચાનક કોઇ બાબતને લઇને બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ગોળીબાર થતા ગભરાયેલા આયોજકોએ તાત્કાલિક ગરબા બંધ કરાવી દીધા હતા. ગોળીબાર થયો તે સમયે આ જગ્યાએ અનેક લોકો ગરબા રમી રહ્યા હતા.અમદાવાદમાં ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા જોવા મળી છે.

બન્યું એમ હતં કે, મંડળી ગરબામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો અને મારમારી થઈ હતી. જેમાં 70 જેટલા શખ્સોએ 10 યુવકોને માર માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. ઘટનાને પગલે સોલા પોલીસે સ્થળે પહોંચી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...