Tuesday, February 10, 2026

અમદાવાદમાં આધારકાર્ડની નોંધણી-સુધારા માટે 44 સેન્ટરના નામ જાહેર કરાયા

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા આધારકાર્ડની નોંધણી તેમજ અપગ્રેડેશન માટે 44 સેન્ટરની જાહેરાત કરાઈ છે. આ તમામ સેન્ટર સવારના દસથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી ધમધમશે. બપોરના બેથી અઢી વાગ્યા સુધી રિસેશ રહેશે. જોકે આગોતરી એપોઇન્ટમેન્ટ કે ટોકન વગર નોંધણી કે નોંધણી-સુધારાની કામગીરી કરવામાં આવશે નહીં.

અમદાવાદ પ્રશ્ચિમ ઝોનના સેન્ટર

એક રિપોર્ટ મુજબ પશ્ચિમ ઝોનના પાલડીમાં ધરણીધર સિટી સિવિક સેન્ટર, નવરંગપુરામાં નવરંગપુરા બસસ્ટેન્ડ પાસેનું મલ્ટિલેવલ પાર્કિંગ, ચાંદખેડામાં સબ ઝોનલ ઓફિસ, સાબરમતીમાં સાબરમતી વોર્ડ ઓફિસ, રાણીપમાં રાણીપ સબ ઝોનલ ઓફિસ અને નવરંગપુરામાં સબ ઝોનલ ઓફિસ મળીને કુલ છ સેન્ટર, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયામાં જૂની પંચાયત ઓફિસ, ઘાટલોડિયામાં વોર્ડ ઓફિસ સામે, ગોતામાં સબ ઝોનલ ઓફિસ, થલતેજમાં ઝોનલ ઓફિસ અને બોડકદેવમાં રિલાયન્સ ફ્રેશ સામેનું મકરંદ દેસાઈ પુસ્તકાલય મળીને કુલ પાંચ સેન્ટર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં બોપલમાં સિવિક સેન્ટર, જોધપુરમાં વોર્ડ ઓફિસ, વેજલપુરમાં વોર્ડ ઓફિસ, મક્તમપુરામાં સબ ઝોનલ ઓફિસ અને સરખેજમાં સબ ઝોનલ ઓફિસ- એમ કુલ પાંચ સેન્ટર મળીને પશ્ચિમ અમદાવાદમાં ૧૬ સેન્ટરની જાહેરાત કરાઈ છે.

અમદાવાદ મધ્ય ઝોનના સેન્ટર

મધ્ય ઝોનમાં ખાડિયા-રાયપુરમાં પોલિયો ફાઉન્ડેશન બિલ્ડિંગ, જમાલપુરમાં સબ ઝોનલ ઓફિસ, દરિયાપુરમાં સબ ઝોનલ ઓફિસ, અસારવામાં ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, શાહપુરમાં શાહપુર સેન્ટર અને શાહીબાગમાં ગિરધરનગર વોર્ડ ઓફિસ, જ્યારે દક્ષિણ ઝોનના મણિનગરમાં ઝોનલ ઓફિસ, વટવામાં સબ ઝોનલ ઓફિસ, લાંભામાં સબઝોનલ ઓફિસ, ઈસનપુરમાં ઘોડાસર સબ ઝોનલ ઓફિસ, ઇન્દ્રપુરીમાં સબ ઝોનલ ઓફિસ, બહેરામપુરામાં સબ ઝોનલ ઓફિસ, ખોખરામાં સબ ઝોનલ ઓફિસ અને દાણીલીમડામાં સબ ઝોનલ ઓફિસ, જ્યારે ઉત્તર ઝોનના નરોડામાં પાણીની ટાંકી, ગણપતિ મંદિરની સામે, કુબેરનગરમાં વોર્ડ ઓફિસ, સરદારનગરમાં અર્બન હેલ્થ સેન્ટર, સૈજપુરમાં રાજીવ ગાંધી ભવન મેમ્કો, ઇન્ડિયા કોલોનીમાં સબ ઝોનલ ઓફિસ, બાપુનગરમાં સબ ઝોનલ ઓફિસ, સરસપુરમાં બાલભવન મ્યુનિ. હિંદી સ્કૂલ સામે સેન્ટર કાર્યરત છે.

અમદાવાદ પૂર્વ ઝોનના સેન્ટર

પૂર્વ ઝોનમાં રામોલમાં નવી નિરમાની બાજુમાં, અમરાઈવાડીમાં સિવિક સેન્ટરની પાછળ, ગોમતીપુરમાં સબ ઝોનલ ઓફિસ, વસ્ત્રાલમાં સબ ઝોનલ ઓફિસ, નિકોલમાં સબ ઝોનલ ઓફિસ અને ઓઢવમાં વોર્ડ ઓફિસ ખાતે સેન્ટર કાર્યરત કરાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...