Thursday, March 5, 2026

સેટેલાઈટમાં અકસ્માતની બે ઘટના : રિક્ષાએ અડફેટે લેતા ન્યુ રાણીપના એક્ટિવાચાલક અને બાઈક પરથી યુવક પડી જતાં મોત

spot_img
Share

અમદાવાદ : પ્રથમ ઘટનામાં ન્યૂ રાણીપ સાનિધ્ય ફલોરામાં રહેતા યોગેશકુમાર કડિયા(52) મકરબા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. 3 જૂને યોગેશકુમાર એક્ટિવા લઈને નોકરી ગયા હતા, પરંતુ તેઓ ઘરે પરત ન પહોંચતા પરિવાજનોએ તપાસ કરતા ખબર પડી કે પકવાન ઓવર બ્રિજના છેડે રિક્ષા ચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી સીસીટીવીના આધારે રિક્ષા ચાલકની શોધ હાથ ધરી છે.

બીજી એક ઘટનામાં ઈસ્કોન મંદિર સામે ફૂટપાથ ઉપર રહેતા અમરસ સરકાર (48) 27 મે એ બોપલથી એક બાઈક ચાલક પાસે લિફ્ટ માગી હતી. ઈસ્કોન ગુલમહોર પાર્ક મોલ નજીકથી બાઈક ચાલકે બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અમરસ બાઈક પરથી પડી ગયો હતો. જેથી બાઈકચાલક ત્યાંથી ભાગી ગયો હતો. અમરસને ગંભીર ઈજા થતા 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક જૂને અમરસનું સારવાર બાદ મોત નિપજયું હતુ. આ અંગે એન ટ્રાફિક પોલીસે નાસી છૂટેલા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...