Wednesday, March 11, 2026

અમદાવાદની આ ત્રણ શાળાને તોડી પડાશે? તંત્રની લાલિયાવાડીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું

spot_img
Share

અમદાવાદ: સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે 20 વર્ષ પહેલાં પોતાની જગ્યામાં શાળા બની ગઈ હતી એ જગ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડને ખાલી કરાવવાનું હવે યાદ આવ્યું. આપણું સરકારી તંત્ર કેટલું ઘોર નિંદ્રામાં છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બાપુનગરમાં 20 વર્ષ પહેલા જ્યાં સ્કૂલ બની હતી તે જગ્યા હાઉસિંગ બોર્ડની હોવાનું બહાર આવ્યું છે. આમ 20 વર્ષ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. આમ તંત્રની બેદરકારીના કારણે અનેકો બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. 20 વર્ષથી જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તે શાળાને 30 દિવસમાં ખાલી કરવા હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી છે. નવાઈની વાત તો એ છે કે, હાઉસિંગ બોર્ડને એકાએક આવી એક નહીં પરંતુ એ.બી વિદ્યાલય, ખ્યાતિ પ્રિ સ્કૂલ અને ટાઈની ટોયસ એમ ત્રણ શાળાઓ ધ્યાને આવી, જેણે હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે શાળા બનાવી છે. હાઉસિંગ બોર્ડે બાપુનગરની આવી ત્રણ શાળાઓને 30 દિવસમાં શાળા ખાલી કરવાની નોટિસ આપી ખાલી કરવાનો આદેશ આપ્યો છે.તેમજ આ જગ્યા પર બની ગયેલા બિલ્ડીંગને તોડી પાડવાનો પણ આદેશ કરવામાં આવ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે બાપુનગરથી એબી વિદ્યાલયમાં ધોરણ 1થી 12માં 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહીં આ સ્કૂલ વર્ષોથી અહીંયા ચાલી રહી છે ત્યારે એકાએક ગુજરાત હાઉસિંગ બોર્ડને પોતાની જગ્યા ખાલી કરવાનું કેવી રીતે યાદ આવ્યું તે સૌથી મોટો સવાલ છે. વર્ષોથી આ જગ્યા પર સ્કૂલ ગેરકાયદેસર બની ગઈ હોવા છતાં કેમ શાળા જ્યારે બની રહી હતી, ત્યારે હાઉસિંગ બોર્ડે આ જગ્યા ખાલી ન કરાવી? હવે હાઉસિંગ બોર્ડે આ જગ્યા ખાલી કરાવી અને બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ કરતા 450થી પણ વધુ વિદ્યાર્થીઓનું ભાવી જોખમાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...