Sunday, January 18, 2026

અમદાવાદની આ ત્રણ શાળાને તોડી પડાશે? તંત્રની લાલિયાવાડીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું

spot_img
Share

અમદાવાદ: સરકારી તંત્રમાં ચાલતી લાલિયાવાડીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે 20 વર્ષ પહેલાં પોતાની જગ્યામાં શાળા બની ગઈ હતી એ જગ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડને ખાલી કરાવવાનું હવે યાદ આવ્યું. આપણું સરકારી તંત્ર કેટલું ઘોર નિંદ્રામાં છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બાપુનગરમાં 20 વર્ષ પહેલા જ્યાં સ્કૂલ બની હતી તે જગ્યા હાઉસિંગ બોર્ડની હોવાનું બહાર આવ્યું છે. આમ 20 વર્ષ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. આમ તંત્રની બેદરકારીના કારણે અનેકો બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. 20 વર્ષથી જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તે શાળાને 30 દિવસમાં ખાલી કરવા હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી છે. નવાઈની વાત તો એ છે કે, હાઉસિંગ બોર્ડને એકાએક આવી એક નહીં પરંતુ એ.બી વિદ્યાલય, ખ્યાતિ પ્રિ સ્કૂલ અને ટાઈની ટોયસ એમ ત્રણ શાળાઓ ધ્યાને આવી, જેણે હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે શાળા બનાવી છે. હાઉસિંગ બોર્ડે બાપુનગરની આવી ત્રણ શાળાઓને 30 દિવસમાં શાળા ખાલી કરવાની નોટિસ આપી ખાલી કરવાનો આદેશ આપ્યો છે.તેમજ આ જગ્યા પર બની ગયેલા બિલ્ડીંગને તોડી પાડવાનો પણ આદેશ કરવામાં આવ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે બાપુનગરથી એબી વિદ્યાલયમાં ધોરણ 1થી 12માં 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહીં આ સ્કૂલ વર્ષોથી અહીંયા ચાલી રહી છે ત્યારે એકાએક ગુજરાત હાઉસિંગ બોર્ડને પોતાની જગ્યા ખાલી કરવાનું કેવી રીતે યાદ આવ્યું તે સૌથી મોટો સવાલ છે. વર્ષોથી આ જગ્યા પર સ્કૂલ ગેરકાયદેસર બની ગઈ હોવા છતાં કેમ શાળા જ્યારે બની રહી હતી, ત્યારે હાઉસિંગ બોર્ડે આ જગ્યા ખાલી ન કરાવી? હવે હાઉસિંગ બોર્ડે આ જગ્યા ખાલી કરાવી અને બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ કરતા 450થી પણ વધુ વિદ્યાર્થીઓનું ભાવી જોખમાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...