Wednesday, March 4, 2026

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, એઈડ્સથી પીડાતા યુવાને 6 છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી,એક સગીરાને લઈને ભાગ્યો

spot_img
Share

અમદાવાદઃ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં 10 વર્ષથી એઇડ્સથી (AIDS) પીડાતા એક વ્યક્તિએ 12 વર્ષમાં છ અલગ અલગ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના માનવ તસ્કરી વિરોધી એકમે એઇડ્સથી સંક્રમિત યુવકની ધરપકડ કરી હતી. યુવકને તે એઇડ્સથી પીડાતો હોવાની જાણ છતાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 10 મહિના પહેલા ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાંચ મુજબ 10 વર્ષથી એઇડ્સથી પીડાતા યુવકે 12 વર્ષમાં અલગ અલગ સમયે છથી વધુ યુવતીને પ્રેમમાં ફસાવી તેમનું શોષણ કર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના અસારવામાં 22 માર્ચ, 2024ના દિવસે તેમના પરિવાર સાથે એક સામાજિક કાર્યક્રમમાં ગયેલી સગીરા રાત્રે 8 વાગ્યે અચાનક લાપતા બની હતી. જેને લઈ તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના સુધી કોઈ ભાળ નહીં મળતાં કેસ એફ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરાના પિતાએ હાઇ કોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી હતી.શોધખોળમાં લાગેલી પોલીસને આખરે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના કોડરમામાંથી સગીરા મળી આવી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સગીરા સાથે ભાગી ગયેલા યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ક્રાઇમ બ્રાંચ મુજબ, આરોપી 10 વર્ષથી એઇડ્સથી પીડાતો હતો. 12 વર્ષ દરમિયાન અલગ અલગ સમયે 6 યુવતીને પ્રેમજાળામાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...