Thursday, March 12, 2026

મીઠાખળીમાં બેફામ રફતારનો કહેર, સ્કોડા કારચાલકે 3થી 4 વાહનચાલકોને અડફેટે લીધા, 1 મહિલાનું મોત

spot_img
Share

અમદાવાદ: છેલ્લા થોડા સમયથી નબીરાઓ દ્વારા મનફાવે તેમ ગાડી ચલાવી લોકોને કચડવાનો જાણે કે ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ફરી એક વાર અમદાવાદમાંથી આવો જ બનાવ સામે આવ્યો છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહનચાલકોને અડફેટે લીધા હતા.અકસ્માતને પગલે 250 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળાએ કારચાલકને ઝડપી માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂના નશામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મીઠાખળી પાસે ભયંકર અકસ્માત થયો છે. સ્કોડા ગાડીએ 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ 1 મહિલા સિરિયસ હાલત હતી જેનું મોત નીપજ્યું છે. કાર ચાલકને મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશન લવાયો છે. નિલેશ પટેલ નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો. આ યુવક નશામાં હોવાની આશંકા પણ કરવામાં આવી છે.મીઠાખળી છ રસ્તા નજીક આવેલ જૈન દેરાસર પાસે શનિવારે સાંજે 6.30 વાગ્યે એક સ્કોડા કારચાલકે પૂરઝડપે કાર ચલાવીને એક એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી. જે બાદ ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા.બાદમાં એક સ્વીફ્ટ કારને અડફેટે લીધા બાદ કાર અથડાતા ઉભી રહી ગઇ હતી.

આ અકસ્માતમાં રોનકબેન પરીખ નામની મહિલાનું મોત પણ થઈ ગયું છે.અન્ય 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. અકસ્માતને પગલે 250 લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. બાદમાં કારચાલકને ઝડપીને માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂ પીધેલ હાલતમાં હોવાનું લોકોએ જણાવ્યું હતું. મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નિલેશ પટેલને લઈ આવવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આવા બેફામ ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...