Saturday, November 8, 2025

અમદાવાદમાં રસ્તા પર ઉભેલી AMTS બસ પાછળ SUV કાર ઘૂસી જતા એકનું મોત, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી. જ્યાં એક SUV કાર પાછળથી ઘૂસી ગઈ છે. જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અક્સ્માતના CCTV વાયરલ થયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી.ત્યારે પાછળથી તેજ રફતારથી આવતી XUV કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ હતું, જ્યારે કારચાલક પ્રકાશકુમાર સિંઘ (રહે. ચાંદખેડા) અને બસમાં ચડતા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી.

આ અકસ્માત બાદ બસ ડ્રાઇવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દૃશ્યો પણ સર્જાયા હતા.

પોલીસ સૂત્રો મુજબ, SUV કારમાંથી બે દારૂની બોટલ ફૂટેલી હાલતમાં મળેલ છે જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા કબજાનો કેસ કરવાની તજવીજ હાથ ધરાશે. મૃતક અને ઈજાગ્રસ્ત વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જો નશાની હાલતમાં હશે તો એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, કાર ફૂલ સ્પીડમાં જતી હતી ત્યારે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. બસમાં ચડતા લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશામાં હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...