Monday, September 15, 2025

અમદાવાદમાં રસ્તા પર ઉભેલી AMTS બસ પાછળ SUV કાર ઘૂસી જતા એકનું મોત, જુઓ CCTV

Share

Share

અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી. જ્યાં એક SUV કાર પાછળથી ઘૂસી ગઈ છે. જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અક્સ્માતના CCTV વાયરલ થયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી.ત્યારે પાછળથી તેજ રફતારથી આવતી XUV કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ હતું, જ્યારે કારચાલક પ્રકાશકુમાર સિંઘ (રહે. ચાંદખેડા) અને બસમાં ચડતા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી.

આ અકસ્માત બાદ બસ ડ્રાઇવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દૃશ્યો પણ સર્જાયા હતા.

પોલીસ સૂત્રો મુજબ, SUV કારમાંથી બે દારૂની બોટલ ફૂટેલી હાલતમાં મળેલ છે જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા કબજાનો કેસ કરવાની તજવીજ હાથ ધરાશે. મૃતક અને ઈજાગ્રસ્ત વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જો નશાની હાલતમાં હશે તો એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, કાર ફૂલ સ્પીડમાં જતી હતી ત્યારે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. બસમાં ચડતા લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશામાં હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...