Saturday, November 8, 2025

અમદાવાદીઓ જોઈને ખાજો, પીઝામાંથી ખીલી નીકળી, AMCના ફૂડ વિભાગે શોપને સીલ માર્યું

spot_img
Share

અમદાવાદ : પીઝામાંથી જીવડા બાદ હવે આ રીતે ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી છે. ખાનાર નસીબદાર હતા કે મોઢામાં આવતાં જ એમને ખ્યાલ આવી ગયો અને પેટમાં ન ગઈ. ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા પાપા લુઈઝ પિઝાની છે, જ્યાં 27 માર્ચે એક ગ્રાહક મિત્રો કે પરિવારજનો સાથે પિઝાનો સ્વાદ માણવા તો પહોંચ્યા પરંતુ ખાવાની શરૂઆત કરી ત્યાં જ એમનો મૂડ મરી ગયો હતો. કારણ કે આવડી મોટી ખીલી જો કદાચ કોઈ બાળકના મોઢામાં આવી હોત અને બાળક ખીલી ગળી ગયું હોય તો શું હાલત થાત એ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલી પાપા લુઈસ નામની પીઝા શોપમાં એક વ્યક્તિ અન્ય લોકો સાથે પીઝા ખાવા માટે ગયા હતા. તેઓએ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ ડ્રિંક્સ અને પીઝા સર્વ થવાની શરૂઆત થઈ હતી. જેમાં બીજો કોર્ન પીઝા આવ્યો હતો. જે ખાતાની સાથે જ તેમના મોઢામાં કંઈક મજબૂત વસ્તુ વાગી તેવું લાગ્યું હતું. જેથી તેઓએ જ્યારે મોઢામાંથી બહાર કાઢીને જોયું તો પીઝાના કોર્નમાં ખીલી હોવાનું સામે આવ્યું હતું. ખીલી નીકળી હોવાથી તેઓએ આ મામલે તાત્કાલિક શોપના જવાબદાર વ્યક્તિને ત્યાં બોલાવ્યા હતા.

પાપા લુઈસ પીઝાના જવાબદાર વ્યક્તિને બોલાવી અને આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને જો આ ખીલી શરીરમાં જતી રહી હોત તો કેટલું મોટું આરોગ્યને નુકસાન થયા તેમ કહ્યું હતું. શોપના જવાબદાર વ્યક્તિએ પણ ભૂલ થઈ ગઈ તેવું સ્વીકાર્યું હતું અને ત્યાર બાદ આવી ઘટના હવે નહીં બને અને અમે ધ્યાન રાખીએ છીએ, પરંતુ કોઈ કારણોસર ઉપરથી આ ખીલી પડી ગઈ હોય તેવું લાગે છે. જેથી ગ્રાહકે કહ્યું હતું કે, તમારા રસોડામાં તમે કેવી રીતે ધ્યાન રાખો છો કે આ ત્યાંથી આવી ગયું. આ રીતે હોટલના જવાબદાર વ્યક્તિ પાસે જવાબ માગ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આ મામલે ફરિયાદ મળતાની સાથે જ તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકોલના પાપા લુઈસ પીઝા ખાતે તપાસ માટે ટીમ મોકલી આપી હતી. ફૂડ વિભાગ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરી પાપા લુઈસ પીઝાને સીલ મારવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...