Monday, September 15, 2025

અમદાવાદીઓ જોઈને ખાજો, પીઝામાંથી ખીલી નીકળી, AMCના ફૂડ વિભાગે શોપને સીલ માર્યું

Share

Share

અમદાવાદ : પીઝામાંથી જીવડા બાદ હવે આ રીતે ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી છે. ખાનાર નસીબદાર હતા કે મોઢામાં આવતાં જ એમને ખ્યાલ આવી ગયો અને પેટમાં ન ગઈ. ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા પાપા લુઈઝ પિઝાની છે, જ્યાં 27 માર્ચે એક ગ્રાહક મિત્રો કે પરિવારજનો સાથે પિઝાનો સ્વાદ માણવા તો પહોંચ્યા પરંતુ ખાવાની શરૂઆત કરી ત્યાં જ એમનો મૂડ મરી ગયો હતો. કારણ કે આવડી મોટી ખીલી જો કદાચ કોઈ બાળકના મોઢામાં આવી હોત અને બાળક ખીલી ગળી ગયું હોય તો શું હાલત થાત એ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલી પાપા લુઈસ નામની પીઝા શોપમાં એક વ્યક્તિ અન્ય લોકો સાથે પીઝા ખાવા માટે ગયા હતા. તેઓએ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ ડ્રિંક્સ અને પીઝા સર્વ થવાની શરૂઆત થઈ હતી. જેમાં બીજો કોર્ન પીઝા આવ્યો હતો. જે ખાતાની સાથે જ તેમના મોઢામાં કંઈક મજબૂત વસ્તુ વાગી તેવું લાગ્યું હતું. જેથી તેઓએ જ્યારે મોઢામાંથી બહાર કાઢીને જોયું તો પીઝાના કોર્નમાં ખીલી હોવાનું સામે આવ્યું હતું. ખીલી નીકળી હોવાથી તેઓએ આ મામલે તાત્કાલિક શોપના જવાબદાર વ્યક્તિને ત્યાં બોલાવ્યા હતા.

પાપા લુઈસ પીઝાના જવાબદાર વ્યક્તિને બોલાવી અને આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને જો આ ખીલી શરીરમાં જતી રહી હોત તો કેટલું મોટું આરોગ્યને નુકસાન થયા તેમ કહ્યું હતું. શોપના જવાબદાર વ્યક્તિએ પણ ભૂલ થઈ ગઈ તેવું સ્વીકાર્યું હતું અને ત્યાર બાદ આવી ઘટના હવે નહીં બને અને અમે ધ્યાન રાખીએ છીએ, પરંતુ કોઈ કારણોસર ઉપરથી આ ખીલી પડી ગઈ હોય તેવું લાગે છે. જેથી ગ્રાહકે કહ્યું હતું કે, તમારા રસોડામાં તમે કેવી રીતે ધ્યાન રાખો છો કે આ ત્યાંથી આવી ગયું. આ રીતે હોટલના જવાબદાર વ્યક્તિ પાસે જવાબ માગ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આ મામલે ફરિયાદ મળતાની સાથે જ તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકોલના પાપા લુઈસ પીઝા ખાતે તપાસ માટે ટીમ મોકલી આપી હતી. ફૂડ વિભાગ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરી પાપા લુઈસ પીઝાને સીલ મારવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...