Friday, November 28, 2025

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે નેગેટિવ પ્રીમિયમ ટેન્ડર્સ જ જાહેર કરવા જાેઈએ!

spot_img
Share

અમદાવાદ : રિડેવલપમેન્ટની સફળતા માટે તેમાં જાેડાયેલ દરેક પક્ષના ઉદેશ્ય પૂરા થાય તો પ્રોજેક્ટ અને પોલિસી બંને જલ્દી સફળ થાય અને તે માટે નેગેટીવ પ્રીમિયમના ટેન્ડર જાહેર કરવામાં આવે તે ઉત્તમ વિકલ્પ બની શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે અલગ અલગ સોસાયટીઓની ટેન્ડર પ્રક્રિયા કરે છે, જેમાં કેટલાંક ટેન્ડરો પોઝિટીવ પ્રિમિયમ જતા હોય છે, તો કેટલાંક ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમમાં આવતા હોય છે.એક જ વિસ્તારમાં રોડની સામસામે આવેલ અલગ અલગ સોસાયટીઓના ટેન્ડરોમાં એકને પોઝિટીવ અને બીજાને નેગેટીવ પ્રિમિયન આવતા ટેન્ડરની પ્રક્રિયા પણ શંકાસ્પદ હોવાનું આગેવાનો માની રહ્યા છે.

સરકારી તિજાેરીને નુકશાન પડે તેની પરવા કર્યા વગર રિડેવલપમેન્ટ પોલીસીમાં વેગ લાવવા માટે જરૂરિયાતમંદ રહીશોને રિડેવલપમેન્ટ થકી નવીન ઘર આપવાનું છે. બિલ્ડરને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી નાણાકીય લાભ મોટો કમાવો છે અને હયાત લાભાર્થી રહીશને નવા મોટા મકાન સાથે થોડો આર્થિક લાભ ગિફ્ટ મની, ફર્નિચર પેટે કે હાર્ડશિપ કોમ્પેન્સેશન રકમ તરીકે મળી રહેશે.આ દરમિયાન ટેન્ડર પ્રક્રિયાના સંકળાયેલા અને સત્તા ધરાવતા કેટલાક અધિકારીઓને પણ કદાચ પ્રત્યક્ષ પરોક્ષ લાભ મળતો હોઈ શકે છે. જેથી રિડેવલપમેન્ટમાં તમા ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમ આવવાથી સર્વે પક્ષોના ઉદેશ્ય પૂર્ણ થાય છે.

આ પોલિસી અનુસંધાને અત્યાર સુધી ભૂતકાળના નેગેટીવ પ્રીમિયમના ટેન્ડરમાં ઉપરોક્ત બધા ઉદેશ્ય સફળ થયેલા લાગે છે. માટે અનુભવે તે સિદ્ધ થાય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક હાઉસિંગ કોલોનીના ફક્ત અને ફક્ત નેગેટીવ ટેન્ડર જ પાડવા જાેઈએ. જેથી બધા ખુશ થઈ હોંશે હોંશે રિડેવલપમેન્ટમાં જાેડાશે અને જે તે સોસાયટી, શહેર અને રાજ્યનો સુંદર વિકાસ ઝડપી થશે.

દરેક સોસાયટીની ભૌગોલિક પરિસ્થિતિ, રોડ રસ્તા, એફએસઆઈ, જીડીસીઆર નોર્મ્સ મુજબ પ્લાનિંગ કેવું બેસે તે અધિકારીઓ અને ડેવલપર જાણતા જ હોય છે માટે ટેન્ડર પડાવતા પહેલા સોસાયટીએ પોતાની માંગણીઓ સાથે સભ્ય દીઠ રકમ જણાવી દેવી અને અધિકારીઓએ ટેન્ડર બિડ તારીખ પહેલાની પ્રિ બિડ મિટિંગમાં સોસાયટીની માંગણીઓ ચર્ચી લેવી જેથી યોગ્ય બિડ બિલ્ડર કરી શકે અને બધા પક્ષોને યોગ્ય ફાયદો થાય, અથવા બોર્ડ દ્વારા સોસાયટી કેટેગરી મુજબ માંગણીઓ પહેલેથી નક્કી કરી દેવી જાેઈએ જેથી નિર્વિવાદ પ્રોજેક્ટ પુરો થઈ જાય અને બધા ખુશી ખુશી જાેડાયા અને રિડેવલપમેન્ટમાં વેગ આવી શકે છે.

નેગેટીવ પ્રીમિયમ આવતા પોઝિટિવ પ્રીમિયમ અને તેના કારણે થતો કકળાટ દૂર થઈ જાય અને તેને કારણે રિડેવલપમેન્ટમાં જે લોકો ખોટી દલીલો, સાચા ખોટા આક્ષેપો અને કોર્ટ કેસો કરે છે કે નકારાત્મકતા ફેલાવે છે તે બધું દૂર થઈ જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...