Tuesday, October 14, 2025

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે નેગેટિવ પ્રીમિયમ ટેન્ડર્સ જ જાહેર કરવા જાેઈએ!

Share

અમદાવાદ : રિડેવલપમેન્ટની સફળતા માટે તેમાં જાેડાયેલ દરેક પક્ષના ઉદેશ્ય પૂરા થાય તો પ્રોજેક્ટ અને પોલિસી બંને જલ્દી સફળ થાય અને તે માટે નેગેટીવ પ્રીમિયમના ટેન્ડર જાહેર કરવામાં આવે તે ઉત્તમ વિકલ્પ બની શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે અલગ અલગ સોસાયટીઓની ટેન્ડર પ્રક્રિયા કરે છે, જેમાં કેટલાંક ટેન્ડરો પોઝિટીવ પ્રિમિયમ જતા હોય છે, તો કેટલાંક ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમમાં આવતા હોય છે.એક જ વિસ્તારમાં રોડની સામસામે આવેલ અલગ અલગ સોસાયટીઓના ટેન્ડરોમાં એકને પોઝિટીવ અને બીજાને નેગેટીવ પ્રિમિયન આવતા ટેન્ડરની પ્રક્રિયા પણ શંકાસ્પદ હોવાનું આગેવાનો માની રહ્યા છે.

સરકારી તિજાેરીને નુકશાન પડે તેની પરવા કર્યા વગર રિડેવલપમેન્ટ પોલીસીમાં વેગ લાવવા માટે જરૂરિયાતમંદ રહીશોને રિડેવલપમેન્ટ થકી નવીન ઘર આપવાનું છે. બિલ્ડરને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી નાણાકીય લાભ મોટો કમાવો છે અને હયાત લાભાર્થી રહીશને નવા મોટા મકાન સાથે થોડો આર્થિક લાભ ગિફ્ટ મની, ફર્નિચર પેટે કે હાર્ડશિપ કોમ્પેન્સેશન રકમ તરીકે મળી રહેશે.આ દરમિયાન ટેન્ડર પ્રક્રિયાના સંકળાયેલા અને સત્તા ધરાવતા કેટલાક અધિકારીઓને પણ કદાચ પ્રત્યક્ષ પરોક્ષ લાભ મળતો હોઈ શકે છે. જેથી રિડેવલપમેન્ટમાં તમા ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમ આવવાથી સર્વે પક્ષોના ઉદેશ્ય પૂર્ણ થાય છે.

આ પોલિસી અનુસંધાને અત્યાર સુધી ભૂતકાળના નેગેટીવ પ્રીમિયમના ટેન્ડરમાં ઉપરોક્ત બધા ઉદેશ્ય સફળ થયેલા લાગે છે. માટે અનુભવે તે સિદ્ધ થાય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક હાઉસિંગ કોલોનીના ફક્ત અને ફક્ત નેગેટીવ ટેન્ડર જ પાડવા જાેઈએ. જેથી બધા ખુશ થઈ હોંશે હોંશે રિડેવલપમેન્ટમાં જાેડાશે અને જે તે સોસાયટી, શહેર અને રાજ્યનો સુંદર વિકાસ ઝડપી થશે.

દરેક સોસાયટીની ભૌગોલિક પરિસ્થિતિ, રોડ રસ્તા, એફએસઆઈ, જીડીસીઆર નોર્મ્સ મુજબ પ્લાનિંગ કેવું બેસે તે અધિકારીઓ અને ડેવલપર જાણતા જ હોય છે માટે ટેન્ડર પડાવતા પહેલા સોસાયટીએ પોતાની માંગણીઓ સાથે સભ્ય દીઠ રકમ જણાવી દેવી અને અધિકારીઓએ ટેન્ડર બિડ તારીખ પહેલાની પ્રિ બિડ મિટિંગમાં સોસાયટીની માંગણીઓ ચર્ચી લેવી જેથી યોગ્ય બિડ બિલ્ડર કરી શકે અને બધા પક્ષોને યોગ્ય ફાયદો થાય, અથવા બોર્ડ દ્વારા સોસાયટી કેટેગરી મુજબ માંગણીઓ પહેલેથી નક્કી કરી દેવી જાેઈએ જેથી નિર્વિવાદ પ્રોજેક્ટ પુરો થઈ જાય અને બધા ખુશી ખુશી જાેડાયા અને રિડેવલપમેન્ટમાં વેગ આવી શકે છે.

નેગેટીવ પ્રીમિયમ આવતા પોઝિટિવ પ્રીમિયમ અને તેના કારણે થતો કકળાટ દૂર થઈ જાય અને તેને કારણે રિડેવલપમેન્ટમાં જે લોકો ખોટી દલીલો, સાચા ખોટા આક્ષેપો અને કોર્ટ કેસો કરે છે કે નકારાત્મકતા ફેલાવે છે તે બધું દૂર થઈ જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...