Wednesday, January 14, 2026

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે નેગેટિવ પ્રીમિયમ ટેન્ડર્સ જ જાહેર કરવા જાેઈએ!

spot_img
Share

અમદાવાદ : રિડેવલપમેન્ટની સફળતા માટે તેમાં જાેડાયેલ દરેક પક્ષના ઉદેશ્ય પૂરા થાય તો પ્રોજેક્ટ અને પોલિસી બંને જલ્દી સફળ થાય અને તે માટે નેગેટીવ પ્રીમિયમના ટેન્ડર જાહેર કરવામાં આવે તે ઉત્તમ વિકલ્પ બની શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે અલગ અલગ સોસાયટીઓની ટેન્ડર પ્રક્રિયા કરે છે, જેમાં કેટલાંક ટેન્ડરો પોઝિટીવ પ્રિમિયમ જતા હોય છે, તો કેટલાંક ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમમાં આવતા હોય છે.એક જ વિસ્તારમાં રોડની સામસામે આવેલ અલગ અલગ સોસાયટીઓના ટેન્ડરોમાં એકને પોઝિટીવ અને બીજાને નેગેટીવ પ્રિમિયન આવતા ટેન્ડરની પ્રક્રિયા પણ શંકાસ્પદ હોવાનું આગેવાનો માની રહ્યા છે.

સરકારી તિજાેરીને નુકશાન પડે તેની પરવા કર્યા વગર રિડેવલપમેન્ટ પોલીસીમાં વેગ લાવવા માટે જરૂરિયાતમંદ રહીશોને રિડેવલપમેન્ટ થકી નવીન ઘર આપવાનું છે. બિલ્ડરને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી નાણાકીય લાભ મોટો કમાવો છે અને હયાત લાભાર્થી રહીશને નવા મોટા મકાન સાથે થોડો આર્થિક લાભ ગિફ્ટ મની, ફર્નિચર પેટે કે હાર્ડશિપ કોમ્પેન્સેશન રકમ તરીકે મળી રહેશે.આ દરમિયાન ટેન્ડર પ્રક્રિયાના સંકળાયેલા અને સત્તા ધરાવતા કેટલાક અધિકારીઓને પણ કદાચ પ્રત્યક્ષ પરોક્ષ લાભ મળતો હોઈ શકે છે. જેથી રિડેવલપમેન્ટમાં તમા ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમ આવવાથી સર્વે પક્ષોના ઉદેશ્ય પૂર્ણ થાય છે.

આ પોલિસી અનુસંધાને અત્યાર સુધી ભૂતકાળના નેગેટીવ પ્રીમિયમના ટેન્ડરમાં ઉપરોક્ત બધા ઉદેશ્ય સફળ થયેલા લાગે છે. માટે અનુભવે તે સિદ્ધ થાય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક હાઉસિંગ કોલોનીના ફક્ત અને ફક્ત નેગેટીવ ટેન્ડર જ પાડવા જાેઈએ. જેથી બધા ખુશ થઈ હોંશે હોંશે રિડેવલપમેન્ટમાં જાેડાશે અને જે તે સોસાયટી, શહેર અને રાજ્યનો સુંદર વિકાસ ઝડપી થશે.

દરેક સોસાયટીની ભૌગોલિક પરિસ્થિતિ, રોડ રસ્તા, એફએસઆઈ, જીડીસીઆર નોર્મ્સ મુજબ પ્લાનિંગ કેવું બેસે તે અધિકારીઓ અને ડેવલપર જાણતા જ હોય છે માટે ટેન્ડર પડાવતા પહેલા સોસાયટીએ પોતાની માંગણીઓ સાથે સભ્ય દીઠ રકમ જણાવી દેવી અને અધિકારીઓએ ટેન્ડર બિડ તારીખ પહેલાની પ્રિ બિડ મિટિંગમાં સોસાયટીની માંગણીઓ ચર્ચી લેવી જેથી યોગ્ય બિડ બિલ્ડર કરી શકે અને બધા પક્ષોને યોગ્ય ફાયદો થાય, અથવા બોર્ડ દ્વારા સોસાયટી કેટેગરી મુજબ માંગણીઓ પહેલેથી નક્કી કરી દેવી જાેઈએ જેથી નિર્વિવાદ પ્રોજેક્ટ પુરો થઈ જાય અને બધા ખુશી ખુશી જાેડાયા અને રિડેવલપમેન્ટમાં વેગ આવી શકે છે.

નેગેટીવ પ્રીમિયમ આવતા પોઝિટિવ પ્રીમિયમ અને તેના કારણે થતો કકળાટ દૂર થઈ જાય અને તેને કારણે રિડેવલપમેન્ટમાં જે લોકો ખોટી દલીલો, સાચા ખોટા આક્ષેપો અને કોર્ટ કેસો કરે છે કે નકારાત્મકતા ફેલાવે છે તે બધું દૂર થઈ જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...