Wednesday, March 4, 2026

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો ! નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ, આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે મોટો સવાલ છે. નાની બાળકીઓથી લઈને મોટી ઉમરની સ્ત્રીઓ પણ હવે સુરક્ષિત રહી નથી. તેવું જણાઈ આવે છે. નાની બાળકીથી લઈને મોટી મહિલાઓ સાથે દુષ્કર્મ-અપહરણની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેના લીધે મહિલાઓ ઘરની બહાર સુરક્ષિત નથી. તેવી ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના નવરંગપુરામાંથી સામે આવ્યો છે. નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શનિવારે સાંજે અમદાવાદના નવરંગપુરામાં આવેલ લૉ ગાર્ડન વિસ્તારમાં બની હતી, જ્યાં બાળકી તેની માતા આરતી ભીલ સાથે પાણીની બોટલ વેચતી હતી. બાળકી અન્ય બાળકો સાથે રમવા માટે બગીચામાં ગઈ હતી પરંતુ, સાંજ સુધી પરત ન ફરતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો હતો.અપહરણકારે બાળકીની ઓળખ ન થાય માટે તેના વાળ કપાવી નાખ્યા હતા. તે આરોપીએ બાળકીને છુપાવી રાખી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહ્યું હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણકર્તાના સકંજામાંથી માસૂમને ઉગારી લીધી હતી. બાળકીને જોતા માતાપિતા રડી પડ્યા હતા.

આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આવી ઘણી ઘટનાઓ અમદાવાદમાં બની છે.જેમાં આરોપીઓએ નાની બાળકીઓનું અપહરણ કરીને તેમની સાથે ખરાબ કૃત્ય કર્યું હોય. ત્યારે નાની 4 વર્ષીય બાળકીને કિડનેપરની ચુંગાલમાંથી બચાવી લેવાઈ છે. તેમજ બાળકીને તેના માતાપિતાને પરત સોંપી દેવામાં આવી છે.તો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...