Wednesday, March 4, 2026

AMTS બસનો અકસ્માત : એક્ટિવાચાલકને બચાવવા જતા થાંભલાને અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે AMTS બસનો અકસ્માત થયો. AMTS બસે પૂર ઝડપે ટ્રાફિક સિગ્નલને ટક્કર મારી હતી જેના કારણે ટ્રાફિક સિગ્નલનો થાંભલો રસ્તા પર પડ્યો હતો. સવારના સમયે અવરજવર ઓછી હોવાથી કોઈને ઇજા પહોંચી નહોતી. અકસ્માત બાદ AMTS બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મેમનગર ડેપોથી સવારે AMTS બસ નીકળી હતી, જે વિજય ચાર રસ્તાથી ગુજરાત યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. વિજય ચાર રસ્તા ખાતે એક્ટિવાચાલક ટર્ન મારી રહ્યો હતો, જેને બચાવવા જતા બસ અચાનક AMTS બસ થાંભલાને અથડાઈ હતી. બસ થાંભલા સાથે ટકરાતા થાંભલો રસ્તા પર ધરાશાહી થયો છે. જોકે, સવારનો સમય હોવાથી વાહન ચાલકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવની જાણ થતા બસના સુપરવાઈઝર સ્થળ પર આવી ગયા હતા. બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી જ્યારે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

AMTS ની ટક્કરથી વિજય ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલનો થાંભલો ધરાશાહી થયો છે. બસે શોર્ટ બ્રેક મારીને થાંભલા સાથે અથડાવાથી આ ઘટના બની છે, ટાયરે શોર્ટ બ્રેક માર્યાનાં ટાયરનાં નિશાન સ્થળ પર છે. રૂટ નંબર 49/2 ની AMTS બસ હતી. અકસ્માત બાદ થાંભલા પર રહેલા ચેનલ, ટેલીફોન અને ઇન્ટરનેટના કેબલ રસ્તા પર પડ્યા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...