Friday, January 23, 2026

AMTS બસનો અકસ્માત : એક્ટિવાચાલકને બચાવવા જતા થાંભલાને અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે AMTS બસનો અકસ્માત થયો. AMTS બસે પૂર ઝડપે ટ્રાફિક સિગ્નલને ટક્કર મારી હતી જેના કારણે ટ્રાફિક સિગ્નલનો થાંભલો રસ્તા પર પડ્યો હતો. સવારના સમયે અવરજવર ઓછી હોવાથી કોઈને ઇજા પહોંચી નહોતી. અકસ્માત બાદ AMTS બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મેમનગર ડેપોથી સવારે AMTS બસ નીકળી હતી, જે વિજય ચાર રસ્તાથી ગુજરાત યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. વિજય ચાર રસ્તા ખાતે એક્ટિવાચાલક ટર્ન મારી રહ્યો હતો, જેને બચાવવા જતા બસ અચાનક AMTS બસ થાંભલાને અથડાઈ હતી. બસ થાંભલા સાથે ટકરાતા થાંભલો રસ્તા પર ધરાશાહી થયો છે. જોકે, સવારનો સમય હોવાથી વાહન ચાલકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવની જાણ થતા બસના સુપરવાઈઝર સ્થળ પર આવી ગયા હતા. બસને મેમનગર ડેપોમાં લઈ જવામાં આવી હતી જ્યારે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

AMTS ની ટક્કરથી વિજય ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલનો થાંભલો ધરાશાહી થયો છે. બસે શોર્ટ બ્રેક મારીને થાંભલા સાથે અથડાવાથી આ ઘટના બની છે, ટાયરે શોર્ટ બ્રેક માર્યાનાં ટાયરનાં નિશાન સ્થળ પર છે. રૂટ નંબર 49/2 ની AMTS બસ હતી. અકસ્માત બાદ થાંભલા પર રહેલા ચેનલ, ટેલીફોન અને ઇન્ટરનેટના કેબલ રસ્તા પર પડ્યા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...