Wednesday, January 14, 2026

હાઉસિંગ રીડેવલપમેન્ટમાં જુજ સભ્યો દ્વારા વિરોધ કરાતા નવો ટ્રેન્ડ થયો શરૂ ‘લાફાવાળી’…!!

spot_img
Share

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર ટકા સભ્યો વિવિધ કારણોસર વિરોધ કરીને સોસાયટીના બાકીના નેવું થી પંચાણું ટકાથી વધુ સભ્યોને બાનમાં લેતા હોવાની ચર્ચાઓ ઉઠી છે, જેને લઈને સોસાયટીઓમાં આંતરિક બોલાચાલી અને ઘર્ષણોના બનાવોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.તાજેતરમાં નારણપુરામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં કેેટલાક અસંમત સભ્યોએ વિરોધ કરતા સોસાયટીના બહુમત સભ્યો એકઠા થઈ વિરોધ કરનાર સભ્યોને મેથીપાક ચખાડયો હોવાની ચર્ચા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં આવા બે-ત્રણ અસંમત સભ્યોએ પોતાની સોસાયટી બહારના નકારાત્મક લોકોને બોલાવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાના મકાન ખાલી કરાવી કબજાે લેવાની ગુ.હા.બોર્ડની કલમ 60એ મુજબ ઈવીકશન કાર્યવાહી દરમ્યાન વાંધા વિરોધ કરેલ, બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા સોસાયટી સભ્યોને મોબાઇલ કેમેરા રેકોર્ડિંગ કરી કેટલાક કાયદાકીય ભાષા કે શબ્દોના ઉપયોગ થકી બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસને સરકારી કાર્ય કરવામાં રોડા નાખવાનો અને વિરોધ કરવાનો પ્રયોગ ભારે પડી ગયો.આ સોસાયટીના રીડેવલપમેન્ટ ઈચ્છતા બહુમત સભ્યો એકઠા થઈ ગયા અને બહારથી આવેલા નકારાત્મક લોકોને પોતાની સોસાયટીમાંથી નીકળી જવા જણાવ્યું, આ દરમ્યાન શાબ્દિક ઘર્ષણ થતા ધક્કા મુક્કી થઈ તે તકનો લાભ લઈ બહારથી આવેલા વ્યક્તિ દ્વારા સ્થાનિક સોસાયટીની બહેનોની ધક્કામુક્કી કરાતા છેવટે હાજર રહેલ અને રોડ પર આવતા જતા બહેનો અને ભાઈઓ દ્વારા તે વ્યક્તિને ધોલાઈ કરી મેથીપાક આપ્યા હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

હાઉસિંગના આગેવાન સંદિપ ત્રિવેદીના મત મુજબ, આ એક સોસાયટીનો મામલો નથી, આવુ અનેક સોસાયટીમાં થઈ રહ્યું છે, બે ચાર ટકા અસંમત સભ્યો યેનકેન પ્રકારે વિરોધ કરીને અથવા કાયદાની બારીમાં છટકબારી શોધીને કોર્ટ કેસ કરતા હોય છે, અને સમગ્ર સોસાયટીના નેવું થી પંચાણું ટકા લોકોને બાનમાં લઈને સોસાયટીનું રીડેવપમેન્ટ અટકાવવાનો પ્રયાસ કરતા હોય છે, જેથી હવે બધાએ જાગી જવાની જરૂર છે, જાે કોઈ આ રીતે ખોટી રીતે વિરોધ કરે તો બાકીના તમામ સભ્યોએ એક થઈને રોડ પર આવવું પડશે, વિરોધ કરનારે સબક શિખવાડવો પડશે.

હાઉસિંગના આગેવાન વિશાલ કંથારીયાના જણાવ્યા મુજબ, એક વાતનો આનંદ છે કે બહુમત સભ્યો એ તેમજ આવતી જતી સમજુ પ્રજાએ પોતાની એકતા અને તાકાત બતાવી અને બહારથી આવેલા નકારાત્મક લોકોનો સામુહિક વિરોધ કર્યો અને યોગ્ય પાઠ ભણાવ્યો તે હિંમત અને કામ સરાહનીય છે. ભવિષ્યમાં આવી એકતા દરેક સોસાયટીના બહુમત સભ્યો બતાવે અને શામ ડેમ દંડ ભેદ બધી રીતે યોગ્ય પાઠ ભણાવે તો આ અસામાજિક તત્વો બીજી સોસાયટીમાં જતા સો વાર વિચારે…!

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...