Friday, November 28, 2025

હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા હજારો લોકોના રીડેવલપમેન્ટના સપનાને સાકાર કરતાં હાઉસિંગ બોર્ડના કમિશ્નર સંદિપ વસાવા…!!

spot_img
Share

અમદાવાદ : આપણા અસ્તિત્વને સલામત રાખવા અને આપણી ર્નિભય નિંદ્રા માટે જરૂરી છે એક પોતાનું ઘર હોવું..સાંપ્રત સમયમાં પોતાનું નવું ઘર હોવું એ ખૂબ જ કઠિન ચૂનોતી છે..

ડેવલપમેન્ટ શબ્દને સુંદર બનાવનાર એક મહત્વનું પાસું છે ‘રીડેવલપમેન્ટ‘.. હાલના ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર શ્રી સંદીપ વસાવાએ ખુબ જ ટુંકા ગાળામાં પોતાના કર્મનિષ્ઠ સ્વભાવથી હાઉસિંગ બોર્ડની વસાહતોમાં રહેતા હજારો લોકો માટે રીડેવલપમેન્ટની મુહિમ છેડી છે. અગાઉ એવું કહેવાતું કે, સરકારી યોજના એટલે ક્યાંક પાઇપલાઇનમાં જ ફસાયેલો પ્રોજેક્ટ..પરંતુ હાઉસિંગ બોર્ડના કમિશ્નર શ્રી સંદીપ વસાવાએ પોતાના કાર્યકાળમાં રીડેવલપમેન્ટ યોજનાઓને જે રીતે આકાર આપ્યો છે, તે જાેતાં શહેરના હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રહેતા હજારો નાગરિકોને ટૂંક સમયમાં તેઓને નવું અને આધુનિક ઘર મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સરકારે 2016માં હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનો માટે રીડેવલપમેન્ટ પોલીસી અમલમાં મુકી, પરંતુ 2016 થી 2022 સુધી આ પોલીસીમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી કોલોનીઓ પોલીસીનો લાભ લઈ જાેડાઈ, પરંતુ વર્તમાન હાઉસિંગ બોર્ડના કમિશ્નરે 2023 માં ચાર્જ સંભાળ્યા ત્યારથી પોલીસીમાં પ્રજાકીય સુધારા દ્વારા ગાડી પાટે ચડાવી. સરકારમાં બહોળો અનુભવ ધરાવતા લોકોની રજુઆત સાંભળી સમયાંતરે પોલીસી અને નિયમોમાં સુધારા કરી રીડેવલપમેન્ટને તેજ ગતિએ દોડાવવાનો પ્રયાસ કર્યાે, જેનું પરિણામ એ આવ્યું કે બે વર્ષના ટુંકા ગાળામાં 60 થી વધુ રીડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર કર્યા.

હાઉસિંગ સુત્રો મુજબ, જે પ્રોજેકટના ડેવલપર્સ પસંદ થઈ ગયા છે, તે કુલ 35 કોલોનીઓના ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ આ સમયગાળામાં પૂર્ણ થયે છે. 27 પૈકી 23 માં ડીમોલેશન પૂર્ણ થયેલ છે. 27 પૈકી 23 કોલોનીઓમાં નકશા માટે રજાચિઠ્ઠી માટે મંજુરી હેઠળ છે. 19 પૈકી 15 પ્રોજેકટમાં રજાચિઠ્ઠી તેઓના સમયગાળામાં મળેલ છે.

આ ઉપરાંત મંજુર પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેકટમાં લાભાર્થીઓ સાથે નકશા મંજુરી અને ટ્રાઈ પાર્ટી એગ્રેમેન્ટની બાબતો વાટાઘાટો હેઠળ છે.હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

અગાઉના મંજુર થયેલ પ્રોજેકટ જે ખોરંભે પડેલ તેના સહિત હાલમાં 72 કોલોનીઓના 45 પ્રોજેકટમાં ડેવવપર્સ ઈ-ટેન્ડર પ્રક્રિયા કરીને પસંદ થઈ ગયેલ છે.કુલ 89 કોલોનીઓના સંયુક્તપણેની જરૂરિયાત મુજબ આયોજન કરીને નવા 60 રીડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર કર્યા, જેમાં કુલ 17088 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડને ત્વરિત સહકાર આપી નાગરિકો માટે ઘરનું ઘર કરવું એ ફરજની સાથે નૈતિક સમર્પણનું પ્રતિક છે.. શ્રી સંદીપ વસાવાએ પોતાની કાર્યક્ષમ ટેકનીકલ ટીમ બનાવી અને ખૂબ જ ટૂંકા સમયમાં વ્યવસ્થિત રીતે જે રીતે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ઉભા કર્યા છે, તે દર્શાવે છે કે આપણું શહેર બાંધકામ ક્ષેત્રે એક સુરક્ષિત અને સનિષ્ઠ અધિકારીના હાથમાં છે..

30 થી 40 વર્ષ જૂના ખખડી ગયેલા બાંધકામોને ડીમોલિશ કરી, તેને માટે યોગ્ય બિલ્ડરને શોધી, તે બિલ્ડર સમયસર પોતાનું કામ કરે છે કે નહીં તેના પર નજર રાખવી એ ખૂબ મોટી જવાબદારી છે અને શ્રી સંદીપ વસાવાએ આ જવાબદારી ખૂબ જ પ્રમાણિકતાથી નિભાવી રહ્યાં છે..આશા રાખીએ કે આવી જ રીતે આપણા શહેરને સુયોગ્ય માર્ગે નવું સ્વરૂપ મળે અને સામાન્ય માણસને પણ પોતાનું ઘર મળે..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...