Sunday, April 19, 2026

હાઉસિંગ બોર્ડની કોલોનીઓના રિડેવલપમેન્ટમાં આવશે મોટો ઉછાળો, જાણો કેમ ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલમાં મંદી ચાલી રહી છે, કમરતોડ મોંઘવારી તથા મકાનોના ઊંચા ભાવના કારણે ખાસ કરીને મધ્યમવર્ગ માટે ઘર ખરીદવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, જેને લીધે બિલ્ડર્સ નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું ટાળી રહ્યા છે અથવા તો તેની ગતિ ધીમી પાડી દીધી છે. જાેકે, બીજી તરફ થોડા સમયથી ધીમા પડેલા રિડેવલપમેન્ટમાં ભારે તેજી જાેવા મળી રહી છે. એમાંય ખાસ કરીને હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રિડેવલપમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર તેજી જાેવા મળી રહી છે.છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે 60 થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સક્રિય સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે સોસાયટીના 75 ટકા સભ્યોની સહમતી જરૂરી હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આ શરત પૂરી થતી હોવા છતાં જુજ સભ્યો કોર્ટમાં જતાં હોય છે અને તેના કારણે રિડવલપમેન્ટનું કામ ખોરંભે ચડી જતું હોય છે. જાેકે, તાજેતરમાં કોર્ટના ચુકાદાઓના કારણે રિડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ મળી છે. 75 ટકા સભ્યો સહમત હોય તેમ છતાં રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવીને કોર્ટમાં જનારા મોટા ભાગના લોકોને નિરાશા જ મળી છે અને ધીમે ધીમે કાનૂની અવરોધો ઓછા થઈ રહ્યા છે.અગાઉ રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવવાની સંખ્યા પણ ઘણી વધારે હતી, પરંતુ તાજેતરમાં કોર્ટના ચુકાદા રિડેવલપમેન્ટ સોદાઓની તરફેણમાં આવ્યા છે, તેથી જાે સોસાયટીના 75 ટકા સભ્યો સહમત છે તો હવે વધારે વાંધો આવતો નથી. આ ઉપરાંત લોકો સમક્ષ રિડેવલપમેન્ટના સફળ ઉદાહરણો પણ આવ્યા છે અને તેથી જ લોકો પણ રિડેવલપમેન્ટ મોડલને પસંદ કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓ(કોલોનીઓ) 35 વર્ષ કે તેથી વધુ જુની થઈ છે, જેમાં મોટાભાગની કોલોનીઓ ખસ્તા હાલતમાં હોવાને કારણે લોકો રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, મંજુર પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેકટમાં લાભાર્થીઓ સાથે નકશા મંજુરી અને ટ્રાઈ પાર્ટી એગ્રેમેન્ટની બાબતો વાટાઘાટો હેઠળ છે.હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...