Saturday, February 28, 2026

હાઉસિંગ બોર્ડની કોલોનીઓના રિડેવલપમેન્ટમાં આવશે મોટો ઉછાળો, જાણો કેમ ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલમાં મંદી ચાલી રહી છે, કમરતોડ મોંઘવારી તથા મકાનોના ઊંચા ભાવના કારણે ખાસ કરીને મધ્યમવર્ગ માટે ઘર ખરીદવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, જેને લીધે બિલ્ડર્સ નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું ટાળી રહ્યા છે અથવા તો તેની ગતિ ધીમી પાડી દીધી છે. જાેકે, બીજી તરફ થોડા સમયથી ધીમા પડેલા રિડેવલપમેન્ટમાં ભારે તેજી જાેવા મળી રહી છે. એમાંય ખાસ કરીને હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રિડેવલપમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર તેજી જાેવા મળી રહી છે.છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે 60 થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સક્રિય સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે સોસાયટીના 75 ટકા સભ્યોની સહમતી જરૂરી હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આ શરત પૂરી થતી હોવા છતાં જુજ સભ્યો કોર્ટમાં જતાં હોય છે અને તેના કારણે રિડવલપમેન્ટનું કામ ખોરંભે ચડી જતું હોય છે. જાેકે, તાજેતરમાં કોર્ટના ચુકાદાઓના કારણે રિડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ મળી છે. 75 ટકા સભ્યો સહમત હોય તેમ છતાં રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવીને કોર્ટમાં જનારા મોટા ભાગના લોકોને નિરાશા જ મળી છે અને ધીમે ધીમે કાનૂની અવરોધો ઓછા થઈ રહ્યા છે.અગાઉ રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવવાની સંખ્યા પણ ઘણી વધારે હતી, પરંતુ તાજેતરમાં કોર્ટના ચુકાદા રિડેવલપમેન્ટ સોદાઓની તરફેણમાં આવ્યા છે, તેથી જાે સોસાયટીના 75 ટકા સભ્યો સહમત છે તો હવે વધારે વાંધો આવતો નથી. આ ઉપરાંત લોકો સમક્ષ રિડેવલપમેન્ટના સફળ ઉદાહરણો પણ આવ્યા છે અને તેથી જ લોકો પણ રિડેવલપમેન્ટ મોડલને પસંદ કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓ(કોલોનીઓ) 35 વર્ષ કે તેથી વધુ જુની થઈ છે, જેમાં મોટાભાગની કોલોનીઓ ખસ્તા હાલતમાં હોવાને કારણે લોકો રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, મંજુર પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેકટમાં લાભાર્થીઓ સાથે નકશા મંજુરી અને ટ્રાઈ પાર્ટી એગ્રેમેન્ટની બાબતો વાટાઘાટો હેઠળ છે.હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...