Friday, October 3, 2025

હાઉસિંગ બોર્ડની કોલોનીઓના રિડેવલપમેન્ટમાં આવશે મોટો ઉછાળો, જાણો કેમ ?

Share

અમદાવાદ : અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલમાં મંદી ચાલી રહી છે, કમરતોડ મોંઘવારી તથા મકાનોના ઊંચા ભાવના કારણે ખાસ કરીને મધ્યમવર્ગ માટે ઘર ખરીદવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, જેને લીધે બિલ્ડર્સ નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું ટાળી રહ્યા છે અથવા તો તેની ગતિ ધીમી પાડી દીધી છે. જાેકે, બીજી તરફ થોડા સમયથી ધીમા પડેલા રિડેવલપમેન્ટમાં ભારે તેજી જાેવા મળી રહી છે. એમાંય ખાસ કરીને હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રિડેવલપમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર તેજી જાેવા મળી રહી છે.છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે 60 થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સક્રિય સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે સોસાયટીના 75 ટકા સભ્યોની સહમતી જરૂરી હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આ શરત પૂરી થતી હોવા છતાં જુજ સભ્યો કોર્ટમાં જતાં હોય છે અને તેના કારણે રિડવલપમેન્ટનું કામ ખોરંભે ચડી જતું હોય છે. જાેકે, તાજેતરમાં કોર્ટના ચુકાદાઓના કારણે રિડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ મળી છે. 75 ટકા સભ્યો સહમત હોય તેમ છતાં રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવીને કોર્ટમાં જનારા મોટા ભાગના લોકોને નિરાશા જ મળી છે અને ધીમે ધીમે કાનૂની અવરોધો ઓછા થઈ રહ્યા છે.અગાઉ રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવવાની સંખ્યા પણ ઘણી વધારે હતી, પરંતુ તાજેતરમાં કોર્ટના ચુકાદા રિડેવલપમેન્ટ સોદાઓની તરફેણમાં આવ્યા છે, તેથી જાે સોસાયટીના 75 ટકા સભ્યો સહમત છે તો હવે વધારે વાંધો આવતો નથી. આ ઉપરાંત લોકો સમક્ષ રિડેવલપમેન્ટના સફળ ઉદાહરણો પણ આવ્યા છે અને તેથી જ લોકો પણ રિડેવલપમેન્ટ મોડલને પસંદ કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓ(કોલોનીઓ) 35 વર્ષ કે તેથી વધુ જુની થઈ છે, જેમાં મોટાભાગની કોલોનીઓ ખસ્તા હાલતમાં હોવાને કારણે લોકો રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, મંજુર પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેકટમાં લાભાર્થીઓ સાથે નકશા મંજુરી અને ટ્રાઈ પાર્ટી એગ્રેમેન્ટની બાબતો વાટાઘાટો હેઠળ છે.હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...