Thursday, July 23, 2026

અમદાવાદમાં મેગા ડિમોલીશન: વટવામાં તળાવ પાસે 400 થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ લાલ આંખ કરી છે. શહેરના ચંડોળા, કુબેરનગરના ઉમલા તળાવ અને ઈસનપુર તળાવ બાદ વધુ એક તળાવ પર બુલડોઝર ફરી વળ્યું છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં આવેલા 420 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. કુલ ચાર તબક્કામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે વહેલી સવારથી જ AMC ના એસ્ટેટ વિભાગની ટીમ જેસીબી અને લોડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ડિમોલિશન અંગે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું, વાંદરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હિટાચી અને JCB દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટર લિંકિગ કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

દબાણ હટાવાની કામગીરીમાં 300 અધિકારીઓ-કર્મચારીઓ અને 500 પોલીસ જવાનો જોડાયા છે. 12 હિટાચી મશીન અને 4 જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ડિમોલિશન કામગીરી જોવા માટે સ્થાનિકો ભેગા થયા છે, જેથી તમામને ઘરમાં રહેવા માટે જણાવાયું છે. ગેરકાયદેસર બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે જે હાલમાં હયાત 8 મીટર જેટલા છે. જેથી રોડ ઉપર આવેલા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે.

AMC દ્વારા આ ડિમોલીશન માત્ર દબાણ હટાવવા માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શહેરના વિકાસના હેતુથી કરવામાં આવ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ આ તળાવને ડેવલપ કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓ માટે વૉકિંગ ટ્રેક, ગાર્ડન અને સુશોભિત લાઈટિંગ જેવી સુવિધાઓ ઉભી કરાશે. જળસંચયની ક્ષમતા વધારવા માટે તળાવનું ઊંડુંકરણ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જળાશયોને પુનઃજીવિત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ ચંડોળા તળાવ અને ઇસનપુર તળાવ પાસેના હજારો ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ જ કડીમાં આજે વટવા વાનર વટ તળાવનો વારો આવ્યો છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...