Sunday, January 25, 2026

અમદાવાદમાં 26,949 ચાલીઓમાં 3 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નાખીને અજવાળું કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આવેલી ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઈટના પોલ નાખવામાં આવશે. ગત 22 જાન્યુઆરીના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 26,949 ચાલીઓમાં સ્ટ્રીટલાઈટના પોલ નાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં જે ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં સ્ટ્રીટ લાઈટ નાખી દેવામાં આવશે જેથી નાગરિકોને હાલાકી પડશે નહીં.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનમાં જે ચાલીઓ આવેલી છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી અને ગટરની સુવિધા આપવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કેટલીક ચાલીઓમાં લાઈટનો અભાવ હતો. ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 26949 જેટલી ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવામાં આવશે. જેથી ત્રણથી ચાર લાખ લોકોને ફાયદો મળશે. સ્ટ્રીટ લાઈટ પોલ નાખવા પાછળ રૂ. 2.5થી 3 કરોડના ખર્ચે લાઈટ નાખીને અજવાળું કરવામાં આવશે.

મ્યુનિસિપલ આવેલી ચાલીઓ તથા ઝૂંપડાઓ, જ્યાં ગટર, પાણી અને રોડ જેવી પ્રાથમીક સુવિધાઓ આપવામાં આવતી હોય અને તેઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય તેવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા જનરલ બજેટમાંથી આપવામાં આવશે. જે ચાલી/ઝૂંપડાઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય ત્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...