Sunday, January 25, 2026

હવે અમદાવાદમાં રસ્તા પર ગમે ત્યાં રખડતા કૂતરાઓને નહિ ખવડાવી શકાય, 100 ડોગ ફીડિંગ સ્થળોની જાહેરાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રખડતા કૂતરાઓના વધી રહેલા ત્રાસને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શેરી અને રખડતા કૂતરા માટે નવા પોલિસી લાગુ કરી છે. જે મુજબ હવે રખડતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. આ માટે શહેરમાં 126 સ્પોટ નક્કી કરાયા છે, ત્યાં જ તેમને ભોજન આપી શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનું પગલુ ભર્યું છે. અમદાવાદમાં હવે રખતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. નવી પોલિસી અંતર્ગત મ્યુનિસિપાલિટીએ 126 જગ્યા નક્કી કરી છે. માત્ર આ જ જગ્યા પર કૂતરાઓને ખાવાનું ખવડાવી શકાશે. જેમાં વોર્ડ દીઠ એક કે બે સ્થળો નક્કી કરાયા છે. આ માટે કોર્પોરેશન આગામી સમયમાં નવા નિયમો બનાવશે. જેમાં કૂતરાઓને રોડ પર અપાતા ભોજનથી થતી ગંદકીને પણ અટકાવી શકાશે.

કોર્પોરેશન આ સ્થળ પર પોસ્ટર લગાવીને લોકોને જાગૃત કરશે. તેમજ પોસ્ટર પર સૂચનાઓ લખેલી હશે કે, કૂતરાઓને આ સ્થળે જ ભોજન આપવું. આ માટે કેટલાક સ્મશાનોની જગ્યા પણ સામેલ કરાઈ છે. જ્યાં કૂતરાઓની સંખ્યા જોવા મળતી હોય છે. આ વિશે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, લોકોને પ્રેરિત કરાઈ રહ્યાં છે કે ત્યાં જઈને જ કૂતરાંને ખવડાવે. દરેક વોર્ડ, ઝોન, લોકોની નજીકની જગ્યા નક્કી કરાઈ છે.

કોર્પોરેશનના આ નિયમોનો ભંગ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કોર્પોરેશનની નિયત કરેલી જગ્યા સિવાય અન્ય કોઈ જગ્યા પર કૂતરાઓને ખાવાનું આપશે તો તેના પર દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ડોગ ફીડિંગ સ્પોટની ઝોન મુજબ વિગતો

સેન્ટ્રલ ઝોન: સારંગપુર પાણીની ટાંકી પાસેના વિસ્તારો, ગીતા મંદિર એસટી બસ સ્ટેશન અને શાહીબાગમાં જૂના પોલીસ કમિશનરની ઓફિસની સામેના વિસ્તારો સહિત કુલ 12 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

પૂર્વ ઝોનઃ આ ઝોનમાં સૌથી વધુ 18 ફીડિંગ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે. તેમાં રખિયાલ, ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને સ્મશાન વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉત્તર ઝોન: કુલ 13 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે, મુખ્યત્વે સરદારનગર, કુબેરનગર અને મેઘાણીનગરમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની નજીક.

નોર્થ વેસ્ટ ઝોન: 14 સ્થાનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગોતા તળાવ, સોલા હાઈકોર્ટ અને ઈસ્કોન ચાર રસ્તા નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ઝોન: મણિનગર, ખોખરા, ઈસનપુર અને વટવા જેવા વિસ્તારોને આવરી લેતા આ ઝોનમાં મહત્તમ 20 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

દક્ષિણ પશ્ચિમ ઝોન: જોધપુર, વેજલપુર અને મકરબા રોડ સાથેના વિસ્તારો સહિત કુલ 8 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

પશ્ચિમ ઝોન: નવરંગપુરા (લો ગાર્ડન પાસે), સાબરમતી, રાણીપ અને પાલડીના સ્થળો સહિત કુલ 15 ફીડિંગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...