Thursday, March 12, 2026

હવે અમદાવાદમાં રસ્તા પર ગમે ત્યાં રખડતા કૂતરાઓને નહિ ખવડાવી શકાય, 100 ડોગ ફીડિંગ સ્થળોની જાહેરાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રખડતા કૂતરાઓના વધી રહેલા ત્રાસને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શેરી અને રખડતા કૂતરા માટે નવા પોલિસી લાગુ કરી છે. જે મુજબ હવે રખડતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. આ માટે શહેરમાં 126 સ્પોટ નક્કી કરાયા છે, ત્યાં જ તેમને ભોજન આપી શકાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનું પગલુ ભર્યું છે. અમદાવાદમાં હવે રખતા શ્વાનોને ગમે ત્યાં ખવડાવી નહિ શકાય. નવી પોલિસી અંતર્ગત મ્યુનિસિપાલિટીએ 126 જગ્યા નક્કી કરી છે. માત્ર આ જ જગ્યા પર કૂતરાઓને ખાવાનું ખવડાવી શકાશે. જેમાં વોર્ડ દીઠ એક કે બે સ્થળો નક્કી કરાયા છે. આ માટે કોર્પોરેશન આગામી સમયમાં નવા નિયમો બનાવશે. જેમાં કૂતરાઓને રોડ પર અપાતા ભોજનથી થતી ગંદકીને પણ અટકાવી શકાશે.

કોર્પોરેશન આ સ્થળ પર પોસ્ટર લગાવીને લોકોને જાગૃત કરશે. તેમજ પોસ્ટર પર સૂચનાઓ લખેલી હશે કે, કૂતરાઓને આ સ્થળે જ ભોજન આપવું. આ માટે કેટલાક સ્મશાનોની જગ્યા પણ સામેલ કરાઈ છે. જ્યાં કૂતરાઓની સંખ્યા જોવા મળતી હોય છે. આ વિશે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, લોકોને પ્રેરિત કરાઈ રહ્યાં છે કે ત્યાં જઈને જ કૂતરાંને ખવડાવે. દરેક વોર્ડ, ઝોન, લોકોની નજીકની જગ્યા નક્કી કરાઈ છે.

કોર્પોરેશનના આ નિયમોનો ભંગ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કોર્પોરેશનની નિયત કરેલી જગ્યા સિવાય અન્ય કોઈ જગ્યા પર કૂતરાઓને ખાવાનું આપશે તો તેના પર દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ડોગ ફીડિંગ સ્પોટની ઝોન મુજબ વિગતો

સેન્ટ્રલ ઝોન: સારંગપુર પાણીની ટાંકી પાસેના વિસ્તારો, ગીતા મંદિર એસટી બસ સ્ટેશન અને શાહીબાગમાં જૂના પોલીસ કમિશનરની ઓફિસની સામેના વિસ્તારો સહિત કુલ 12 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

પૂર્વ ઝોનઃ આ ઝોનમાં સૌથી વધુ 18 ફીડિંગ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે. તેમાં રખિયાલ, ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને સ્મશાન વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉત્તર ઝોન: કુલ 13 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે, મુખ્યત્વે સરદારનગર, કુબેરનગર અને મેઘાણીનગરમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની નજીક.

નોર્થ વેસ્ટ ઝોન: 14 સ્થાનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગોતા તળાવ, સોલા હાઈકોર્ટ અને ઈસ્કોન ચાર રસ્તા નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ઝોન: મણિનગર, ખોખરા, ઈસનપુર અને વટવા જેવા વિસ્તારોને આવરી લેતા આ ઝોનમાં મહત્તમ 20 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

દક્ષિણ પશ્ચિમ ઝોન: જોધપુર, વેજલપુર અને મકરબા રોડ સાથેના વિસ્તારો સહિત કુલ 8 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

પશ્ચિમ ઝોન: નવરંગપુરા (લો ગાર્ડન પાસે), સાબરમતી, રાણીપ અને પાલડીના સ્થળો સહિત કુલ 15 ફીડિંગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...