Monday, March 2, 2026

એકસરખા Symptoms : Dr.એ જણાવેલી 5 રીતથી H3N2 અને COVID-19ની કરો ઓળખ, જાણો બચાવના ઉપાય

spot_img
Share

નવી દિલ્હી : ભારતમાં હાલ કોરોના વાયરસ (Coronavirus) અને ઇન્ફ્લૂએન્ઝા વાયરસ એચ3એન2 (H3N2 virus)નો કહેર જોવા મળી રહ્યો છે. 126 દિવસ બાદ જ્યાં કોરોના વાયરસના સંક્રમણ કેસનો આંકડો 800ને પાર થઇ ગયો છે, ત્યાં H3N2 વાયરસના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, નવા 841 કેસો સાથે દેશમાં કોરોનાનો આંકડો 5389 પર પહોંચ્યો છે. જ્યારે 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધી H3N2ના કેસની સંખ્યા 451 પર પહોંચી છે.

આ બંને વાયરસના લક્ષણો એકસમાન હોવાના કારણે વ્યક્તિને કેવા પ્રકારનું ઇન્ફેક્શન થયું તે કહેવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. આ બંને વાયરસમાં દર્દીને તાવ, ખાંસી, ગળામાં ખરાશ જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ નોઇડાની ફોર્ટિસ હોસ્પિટલમાં પલ્મોનોલોજીસ્ટ એન્ડ ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેશ ગુપ્તાએ દર્દી આ લક્ષણોમાં કેવી રીતે અંતર પારખી શકે અને તેનાથી બચવા માટે શું કરવું જોઇએ તે અંગે ટિપ્સ આપી છે.

લક્ષણોને લઇને અવઢવ
Covid અને H3N2 virus વાયરસના લક્ષણો લગભગ એક સરખા જ છે. અત્યાર સુધી આ બંને ઇન્ફેક્શનના દર્દીઓમાં માથાનો દુઃખાવો, માસપેશીઓમાં દર્દ, થાક, ગળામાં ખરાશ, નાક વહેવું, ખાંસી, તાવ અને ગળામાં કફ જમા થવા ઉપરાંત ડાયરિયા અને શ્વાસ લેવામાં પરેશાની જેવા લક્ષણો જોવા મળે છે. આ જ કારણોસર હેલ્થ એક્સપર્ટ્સ અને દર્દીઓ આ બંને વાયરસના લક્ષણોને લઇ કન્ફ્યૂઝ છે. ચોક્કસથી તેના લક્ષણોને વધુ યોગ્ય રીતે સમજવાથી નિદાન અને ઇલાજમાં રાહત મળી શકે છે.

​H3N2 વાયરસમાં ખાંસી
ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાની ખાંસ હળવી અથવા ગંભીર હોઇ શકે છે, જે સમયની સાથે ઠીક થઇ જાય છે. જ્યારે H3N2 વાયરસમાં થતી ખાંસી એક અઠવાડિયાથી લઇને એક મહિના સુધી પરેશાન કરી છે, સાથે જ આ ખાંસી એટલી તીવ્ર હોય છે કે, તેનાથી માથાનો દુઃખાવો અને છાતીમાં દુઃખાવો થઇ શકે છે. કેટલાંક દર્દીઓને તો ખાંસીના કારણે પાંસળીઓનું ફ્રેક્ચર પણ થઇ શકે છે.

કોરોનામાં તાવ
ડોક્ટર અનુસાર, કોરોનામાં તાવમાં વધ-ઘટ જોવા મળે છે અને તે ઓછામાં ઓછા સાત દિવસ સુધી તમને પરેશાન કરી શકે છે. જ્યારે H3N2માં તાવ વધુ તીવ્ર હોય છે જે ચારથી આઠ દિવસો સુધી રહે છે, આ સાથે ખાંસીની સમસ્યામાં પણ વધારો થઇ શકે છે.

​શ્વાસ લેવામાં તકલીફ અને દુઃખાવો
ડોક્ટરોનું કહેવું છે કે તાવ, સતત ઠંડી લાગવી, ખાંસી બંને વાયરસના સામાન્ય લક્ષણો છે. જ્યારે ઇન્ફ્લૂએન્ઝાની સરખામણીએ કોરોનામાં શ્વાસ લેવાની તકલીફ વધી શકે છે. આ સિવાય માસપેશીઓમાં દુઃખાવો બંને વાયરસના કોમન લક્ષણો છે. જ્યારે કોરોનામાં વ્યક્તિને વધારે પડતો થાક લાગે છે. છીંક, ગળામાં ખરાશ, ગંધ પારખવાની ક્ષમતામાં ઘટાડો આ બંને સંક્રમણોમાં જોવા મળે છે. જ્યારે કાનમાં દુઃખાવો, ઉલટી-ઉબકાં, ડાયરિયા કોવિડ અને H3N2 બંનેના લક્ષણો છે.

​અવાજમાં બદલાવ H3N2ના સંકેત
ડોક્ટર અનુસાર, H3N2 વાયરસના સંક્રમણ બાદ અવાજમાં ફેરફાર થઇ શકે છે, જેનું એક કારણ ગળામાં ઇન્ફેક્શન પણ હોઇ શકે છે. જ્યારે કોવિડ-19ના લક્ષણોમાં તાવ અથવા શરદીથી શરૂઆત થાય છે.

ડોક્ટરો મત મુજબ ​H3N2 અને Covidથી બચવાના ઉપાયો
આ બંને સંક્રમણ શ્વાસ અને છીંક વાટે ફેલાય છે, તેથી સાફ-સફાઇનું ધ્યાન રાખો
ભીડવાળા સ્થળોએ જવાનું ટાળો
હંમેશા માસ્ક પહેરીને રાખો
હાથને સાબુ અને પાણીથી ધૂઓ, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો
સંક્રમિત લોકોથી દૂર રહો અને દર્દીઓને અલગ રાખો
લક્ષણો જોવા મળે તો બહાર જવાનું ટાળો
ઘરની અંદર વેન્ટિલેશનનું ધ્યાન રાખો
હેલ્ધી ડાયટ લો અને હાઇડ્રેશનનું ધ્યાન રાખો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...