Tuesday, October 14, 2025

આજે શનિ જયંતિ પર બની રહ્યો ખાસ યોગ, આટલું કરી શનિદેવને કરો પ્રસન્ન, જાણો પૂજા-મુહૂર્ત

Share

શનિ દેવ સૂર્ય દેવના પુત્ર છે. તેમને કર્મના દેવતા માનવામાં આવે છે. તેઓ જાતકોને કર્મ મુજબ ફળ આપે છે. તેઓ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. આગામી તા.19મીએ શનિ જયંતિ છે. ત્યારે શનિદેવની કૃપા દૃષ્ટિ મેળવવા માટે વ્રત અને પૂજા કઈ રીતે કરવી તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

ચાલુ વર્ષે શનિ જયંતિના દિવસે શોભન યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ 18 મેના રોજ સાંજે 7:37થી 19 મેના રોજ સાંજે 6:17 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત આ દિવસે ચંદ્ર અને ગુરુ એકસાથે મેષ રાશિમાં આવશે. જેના કારણે ગજકેસરી યોગ બનશે. બીજી તરફ શનિ દેવ કુંભ રાશિમાં શશયોગ બનાવશે. આ બધા કારણે આ વખતે શનિ જયંતિ વધુ ખાસ બની જશે.

શુભ મુહૂર્ત

શનિ જયંતિ – 19 મેને શુક્રવારે

અમાસની તિથિ: 18 મેને ગુરુવારે રાત્રે 9:42 વાગ્યે શરૂ થશે અને 19 મેને શુક્રવારે રાત્રે 9:22 વાગ્યે સમાપ્ત થશે.

કઈ રીતે કરવી પૂજા?

શનિ દેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું. ત્યારબાદ શનિ દેવની મૂર્તિ પર તેલ ચઢાવો. તેમને ફૂલની માળા અને પ્રસાદ અર્પણ કરો. તેમના ચરણોમાં કાળા અડદ અને તલ અર્પણ કરો.

આ પણ વાંચો: શનિ જયંતિ પર બની રહ્યો ખાસ યોગ, 4 રાશિઓ પર મહેરબાન થશે શનિદેવ, વરસાવશે ખાસ કૃપા

હવે તેલનો દીવો પ્રગટાવો. શનિ ચાલીસાના પાઠ કરો. આ દિવસે દાન કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. આ દિવસે દાન કરવાથી જાતકોના જીવનના તમામ સંકટો દૂર થાય છે.

અહીં ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે શનિદેવ બાબતે લોકોમાં ભય જોવા મળે છે. શનિદેવ લોકોને ખરાબ ફળ આપતા હોવાની માન્યતા છે. પરંતુ આ સત્ય નથી. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર ફળ નક્કી કરે છે. જેથી શનિની સાડાસાતી અને ઢૈયા તેને માનવ કર્મોના આધારે જ ફળ આપે છે.
શનિ દેવના મંત્રોનો જાપ કરી તેમને પ્રસન્ન કરી શકાય છે. તેઓ પ્રસન્ન થાય તો સંકટ દૂર થઈ જાય છે. શનિ જયંતિની સાંજે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ऊं शं अभयहस्ताय नमः મંત્રનો જાપ કરો. તેમજ ऊं शं शनैश्चराय नमः ની 11 માળા કરો. આ ઉપરાંત તમે ऊं नीलांजनसमाभामसं रविपुत्रं यमाग्रजं छायामार्त्तण्डसंभूतं तं नमामि शनैश्चरम મંત્રનો જાપ પણ કરી શકો છો. આ મંત્રો થકી શનિદેવ પ્રસન્ન થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. મિર્ચી ન્યૂઝ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...