Friday, November 28, 2025

આજે શનિ જયંતિ પર બની રહ્યો ખાસ યોગ, આટલું કરી શનિદેવને કરો પ્રસન્ન, જાણો પૂજા-મુહૂર્ત

spot_img
Share

શનિ દેવ સૂર્ય દેવના પુત્ર છે. તેમને કર્મના દેવતા માનવામાં આવે છે. તેઓ જાતકોને કર્મ મુજબ ફળ આપે છે. તેઓ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. આગામી તા.19મીએ શનિ જયંતિ છે. ત્યારે શનિદેવની કૃપા દૃષ્ટિ મેળવવા માટે વ્રત અને પૂજા કઈ રીતે કરવી તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

ચાલુ વર્ષે શનિ જયંતિના દિવસે શોભન યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ 18 મેના રોજ સાંજે 7:37થી 19 મેના રોજ સાંજે 6:17 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત આ દિવસે ચંદ્ર અને ગુરુ એકસાથે મેષ રાશિમાં આવશે. જેના કારણે ગજકેસરી યોગ બનશે. બીજી તરફ શનિ દેવ કુંભ રાશિમાં શશયોગ બનાવશે. આ બધા કારણે આ વખતે શનિ જયંતિ વધુ ખાસ બની જશે.

શુભ મુહૂર્ત

શનિ જયંતિ – 19 મેને શુક્રવારે

અમાસની તિથિ: 18 મેને ગુરુવારે રાત્રે 9:42 વાગ્યે શરૂ થશે અને 19 મેને શુક્રવારે રાત્રે 9:22 વાગ્યે સમાપ્ત થશે.

કઈ રીતે કરવી પૂજા?

શનિ દેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું. ત્યારબાદ શનિ દેવની મૂર્તિ પર તેલ ચઢાવો. તેમને ફૂલની માળા અને પ્રસાદ અર્પણ કરો. તેમના ચરણોમાં કાળા અડદ અને તલ અર્પણ કરો.

આ પણ વાંચો: શનિ જયંતિ પર બની રહ્યો ખાસ યોગ, 4 રાશિઓ પર મહેરબાન થશે શનિદેવ, વરસાવશે ખાસ કૃપા

હવે તેલનો દીવો પ્રગટાવો. શનિ ચાલીસાના પાઠ કરો. આ દિવસે દાન કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. આ દિવસે દાન કરવાથી જાતકોના જીવનના તમામ સંકટો દૂર થાય છે.

અહીં ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે શનિદેવ બાબતે લોકોમાં ભય જોવા મળે છે. શનિદેવ લોકોને ખરાબ ફળ આપતા હોવાની માન્યતા છે. પરંતુ આ સત્ય નથી. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર ફળ નક્કી કરે છે. જેથી શનિની સાડાસાતી અને ઢૈયા તેને માનવ કર્મોના આધારે જ ફળ આપે છે.
શનિ દેવના મંત્રોનો જાપ કરી તેમને પ્રસન્ન કરી શકાય છે. તેઓ પ્રસન્ન થાય તો સંકટ દૂર થઈ જાય છે. શનિ જયંતિની સાંજે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ऊं शं अभयहस्ताय नमः મંત્રનો જાપ કરો. તેમજ ऊं शं शनैश्चराय नमः ની 11 માળા કરો. આ ઉપરાંત તમે ऊं नीलांजनसमाभामसं रविपुत्रं यमाग्रजं छायामार्त्तण्डसंभूतं तं नमामि शनैश्चरम મંત્રનો જાપ પણ કરી શકો છો. આ મંત્રો થકી શનિદેવ પ્રસન્ન થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. મિર્ચી ન્યૂઝ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...