Sunday, March 1, 2026

આજે શનિ જયંતિ પર બની રહ્યો ખાસ યોગ, આટલું કરી શનિદેવને કરો પ્રસન્ન, જાણો પૂજા-મુહૂર્ત

spot_img
Share

શનિ દેવ સૂર્ય દેવના પુત્ર છે. તેમને કર્મના દેવતા માનવામાં આવે છે. તેઓ જાતકોને કર્મ મુજબ ફળ આપે છે. તેઓ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. આગામી તા.19મીએ શનિ જયંતિ છે. ત્યારે શનિદેવની કૃપા દૃષ્ટિ મેળવવા માટે વ્રત અને પૂજા કઈ રીતે કરવી તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

ચાલુ વર્ષે શનિ જયંતિના દિવસે શોભન યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ 18 મેના રોજ સાંજે 7:37થી 19 મેના રોજ સાંજે 6:17 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત આ દિવસે ચંદ્ર અને ગુરુ એકસાથે મેષ રાશિમાં આવશે. જેના કારણે ગજકેસરી યોગ બનશે. બીજી તરફ શનિ દેવ કુંભ રાશિમાં શશયોગ બનાવશે. આ બધા કારણે આ વખતે શનિ જયંતિ વધુ ખાસ બની જશે.

શુભ મુહૂર્ત

શનિ જયંતિ – 19 મેને શુક્રવારે

અમાસની તિથિ: 18 મેને ગુરુવારે રાત્રે 9:42 વાગ્યે શરૂ થશે અને 19 મેને શુક્રવારે રાત્રે 9:22 વાગ્યે સમાપ્ત થશે.

કઈ રીતે કરવી પૂજા?

શનિ દેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું. ત્યારબાદ શનિ દેવની મૂર્તિ પર તેલ ચઢાવો. તેમને ફૂલની માળા અને પ્રસાદ અર્પણ કરો. તેમના ચરણોમાં કાળા અડદ અને તલ અર્પણ કરો.

આ પણ વાંચો: શનિ જયંતિ પર બની રહ્યો ખાસ યોગ, 4 રાશિઓ પર મહેરબાન થશે શનિદેવ, વરસાવશે ખાસ કૃપા

હવે તેલનો દીવો પ્રગટાવો. શનિ ચાલીસાના પાઠ કરો. આ દિવસે દાન કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. આ દિવસે દાન કરવાથી જાતકોના જીવનના તમામ સંકટો દૂર થાય છે.

અહીં ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે શનિદેવ બાબતે લોકોમાં ભય જોવા મળે છે. શનિદેવ લોકોને ખરાબ ફળ આપતા હોવાની માન્યતા છે. પરંતુ આ સત્ય નથી. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર ફળ નક્કી કરે છે. જેથી શનિની સાડાસાતી અને ઢૈયા તેને માનવ કર્મોના આધારે જ ફળ આપે છે.
શનિ દેવના મંત્રોનો જાપ કરી તેમને પ્રસન્ન કરી શકાય છે. તેઓ પ્રસન્ન થાય તો સંકટ દૂર થઈ જાય છે. શનિ જયંતિની સાંજે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ऊं शं अभयहस्ताय नमः મંત્રનો જાપ કરો. તેમજ ऊं शं शनैश्चराय नमः ની 11 માળા કરો. આ ઉપરાંત તમે ऊं नीलांजनसमाभामसं रविपुत्रं यमाग्रजं छायामार्त्तण्डसंभूतं तं नमामि शनैश्चरम મંત્રનો જાપ પણ કરી શકો છો. આ મંત્રો થકી શનિદેવ પ્રસન્ન થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. મિર્ચી ન્યૂઝ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...