Thursday, September 18, 2025

અમદાવાદના આ વિસ્તારમાં બનશે સૌથી ઉંચી આકાશી બિલ્ડિંગ, જે ગુજરાતમાં સૌથી ઉંચી બિલ્ડિંગ હશે

Share

Share

અમદાવાદ : અમદાવાદના એસ જી રોડ પર એક સૌથી ઉંચી બિલ્ડિંગ આકાર લેવાની છે જે 42 માળની હશે. મહત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે. એસ જી રોડ પર પહેલેથી 41 માળની એક કોમર્શિયલ ઈમારતનું પ્લાનિંગ થયું છે. તેના કરતા આ બિલ્ડિંગ એક માળ વધારે ઉંચી હશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 42 માળની ગગનચુંબી ઈમારતમાં ૪ અને ૫ એપાર્ટમેન્ટ હશે. રાજ્ય સરકારે બાંધકામના નિયમોમાં ફેરફાર કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા મંજૂરી આપી છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં 30થી 34 માળની 11 બિલ્ડિંગો બનાવવાનું કામ હાલમાં ચાલુ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એસજી હાઈવે પરના રાજપથ ક્લબ પાસે રાજ્યની સૌથી ઊંચી 41 માળની ટાઇટેનિયમ વર્લ્ડ નામની બિલ્ડિંગ બનશે. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં બનનારી ઊંચી બિલ્ડીંગોમાં મોટા ભાગે રહેણાંકને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં ગગનચુંબી ઇમારતોને આઇકોનિક બિલ્ડિંગની કિંમત પણ તેના જેવી ઊંચી જ હોય છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે આવી બિલ્ડિંગમાં 12 કરોડ સુધીના ફ્લેટ વેચાઇ રહ્યા છે. વિશાળ જગ્યાઓ અને સ્વિમિંગ પુલ, હોમ થિયેટરથી લઇને અન્ય અનેક સુવિધાઓથી સજ્જ આવા બિલ્ડિંગના વેચાણ પણ ઝડપથી થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જીડીસીઆરના નિયમોમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર બાદ શહેરમાં ગંગનચુંબી ઇમારતોમાં જાણે હરણફાળ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને 30 માળથી વધુ માટેની મંજૂરીઓ મહત્તમ આવી રહી છે. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગને હાઈટની મંજૂરીઓ મળી ગઈ છે. રાજ્ય સરકારે અગાઉ એફએસઆઇમાં ચોક્કસ નિયમો લાગુ કર્યા હોવાથી અમુક ઊંચાઈની જ બિલ્ડિંગ બનાવી શકાતી હતી. પરંતુ નવા સુધારેલા નિયમ પ્રમાણે શહેરમાં હવે એફએસઆઇમાં કોઇપણ લિમિટ સિવાય બાંધકામને મંજૂરી આપવામાં આવી રહી છે. જે માટે બિલ્ડરે એફએસઆઇ ખરીદવી પડે છે. આ સ્થિતિમાં શહેરમાં હવે આઇકોનિક બિલ્ડિંગની યુગ રારૂ થયો છે. જો કે રસ્તાની પહોળાઈ પ્રમાણે એફએસઆઈ આપવામાં આવે છે.

એસજી હાઈવે, બોડકદેવમાં ગગનચુંબી ઈમારતો બનશે-
વિસ્તાર મીટર માળ
એસજીહાઈવે 145 41
પકવાન ચારરસ્તા 138.95 35
થલતેજ-શીલજ ઓવરબ્રિજ 120 32
આંબલી રોડ, બોડકદેવ 118.80 29
એસજીહાઈવે, ગોતા 116.92 35
ઓફ સાયન્સ સિટી રોડ, સોલા 108.50 31

બિલ્ડિંગમાં હવે હાઈફાઈ સુવિધાઓઃ
બિલ્ડરને જમીનની કિંમતમાં ફાયદો થાય છે. – જોકે બાંધકામનો ખર્ચ વધે છે.
ક્લબ સ્ટાઇલ પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. નાગરિકોમાં અત્યારે 25 માળથી ઉપરમાં રહેવાનો એક નવો કેઝ જોવા મળ્યો છે.
પ્રોજેક્ટ પૂરો કરવા માટે સમયમર્યાદામાં વધારો થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...