Thursday, March 12, 2026

સ્માર્ટ સિટી અમદાવાદના અનેક CCTV હજુ પણ બંધ હાલતમાં, કરોડોનું મેન્ટેનન્સ શા માટે?

spot_img
Share

અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદ(Ahmedabad) હાલ દેશ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેનું કારણ છે એક અકસ્માત. ઇસ્કોન બ્રિજ પર (Iskcon Bridge Accident) થયેલા જેગુઆર કાર અકસ્માતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે જેને કારણે અમદાવાદ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ અકસ્માતથી જાણે કે સરકાર અને AMC, પોલીસ વિભાગ સફાળું જાગી ગયું હોય તેમ અચાનક સક્રિય થઈ ગયું છે.

તાજેતરમાં શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ AMCનું તંત્ર સફાળું જાગ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના 84 બ્રિજ પર CCTV લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા કેમેરા બંધ હોવાનું વિપક્ષના આક્ષેપ બાદ સત્તાધીશોએ CCTVના આંકડાઓ જાહેર કર્યા છે.

અમદાવાદ શહેરમાં કુલ કેમેરાની આજની સ્થિતિ નીચે જણાવ્યા મુજબની છે.
સદર પ્રોજેક્ટની શરૂઆતમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મોનીટરીંગ માટે આપવામાંઆવલે લિસ્ટ મજબુ કુલ 130 જંકશન પૈકી હાલ 113 જંકશન પર 1695 કેમેરા કાર્યરત છે. જે પૈકી 288 કેમેરા બંધ (DOWN) છે

પોલીસ સર્વેલન્સનાં હેતુથી શરુ કરવામાં આવેલા સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રા, તાજીયા, જાહેર માર્ગો વિગેરે પર હાલ 272 કેમેરા લગાવવામાં આવેલા છે. જે પૈકી 49 કેમેરા બંધ છે. AMC ની વિવિધ કચેરીઓ અને ઝોનલ ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટર, બગીચાઓ, AMC શાળાઓ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિગેરે ખાતે 2691 જેટલાં કેમેરા કાર્યરત છે. જે પૈકી હાલ 289 કેમેરા બંધ છે.

BRTS કોરીડોરમાં અનઅધિકૃત વાહનોનાં પ્રવેશ અટકાવી શકાય તે હેતુથી શરુ BRTS કોરીડોરમાં 244 કેમેરા લગાવવામાં આવલે છે. જે પૈકી 10 કેમેરા બંઘ છે.આમ કોર્પોરેશને પોતાના લગાવેલા CCTV અંગે અહેવાલ આપ્યો હતો. જેમાં તેઓએ 85 ટકા કેમેરા ચાલુ હોવાનો દાવો કર્યો છે જયારે 15 ટકા કેમેરા ટેકનીકલ કારણોસર બંધ હોવાનો ખુલાસો કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...