Thursday, September 18, 2025

હાઉસીંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ગીફટ મનીને લઈને મડાગાંઠ, ગીફટ મની મુદ્દે કહીં હા…કહી ના..!!

Share

Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતો આવેલ છે. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે અનેક પ્રશ્નો નડી રહ્યા છે પરંતુ જેમાં સૌથી પૈચીદો પ્રશ્ન છે ગીફટ મની..કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, સાથે સાથે ગીફટ મની ન આપવી એવો પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ પણ નથી, જાણકારોના મત મુજબ સરકાર પોલીસી બનાવતી વખતે વિષયના નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને જ પોલીસી બનાવતી હોય છે, જેથી પાછળથી કોઈ દોષનો ટોપલો સરકારના માથે ઢોળી ન શકે.

હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જો હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.

નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, કયાંક શરૂઆત છે, કયાંક અધવચ્ચે છે તો કયાંક અંતિમ તબકકામાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી મહત્વનું એ છે કે નવા વાડજમાં ઉત્સવ સહિત અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા અટકી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં મુખ્યત્વે ગીફટ મની સહિતના મુદ્દે મડાગાંઠ હોવાનું મનાઈ રહ્યું છે.

એક હાઉસીંગના આગેવાનના જણાવ્યા મુજબ ગીફટ મનીની માથાકુટમાં પડવું જોઈએ નહીં, ગીફટ મની માંગણી કર્યા વગર રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ.અન્ય એક હાઉસીંગના આગેવાનના મત મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર પ્રીમિયમનો ૧૦૦% હિસ્સો ગુજરાત હાઉસિંગ બોર્ડને આપે છે બિલ્ડર પ્રીમિયમનો ૧૦% હિસ્સો ગીફટ મની તરીકે તરીકે આપે તો કઈ ખોટુ નથી.જો ગીફટ મની અપાય તો રિડેવલમેન્ટની વધુ ઝડપી બનશે.

છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની માટે બિલ્ડર દ્વારા ઈન્કાર કરી વર્ષો સુધી પ્રોજેકટ લટકાવી દેવામાં આવે છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.

હાઉસીંગ વસાહતોને બાદ કરતા ખાનગી સોસાયટીઓની રિડેવલમેન્ટની પ્રક્રિયાની વાત કરીએ તો મોટાભાગની સોસાયટીઓમાં ભાડાની સાથે સાથે ફર્નીચર પેટે નાની મોટી રકમ ગીફટ મની આપવામાં આવે છે આ ઉપરાંત ટીવી કે એેેેેસી સહિતની ગીફટો પણ આપવામાં આવી રહી છે.

આમ હાઉસીંગ રિડેવલમેન્ટમાં ભાડાની સાથે સાથે ગીફટ મની આપવામાં આવે તો ગીફટ મનીની નાની મોટી રકમ હાઉસીંગમાં રહેતા સામાન્ય મધ્યમ વર્ગને આ રકમ જીવનમાં ખૂબ જ મોટો ટેકો કરી શકે તેમ છે.

નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટના ભણકારા વાગી રહ્યા છે ત્યારે, હાઉસીંગના રહીશો કે જે નિમ્ન મધ્યમ વર્ગમાં વહેંચાયેલ છે એમાંય ખાસ કરીને LIG અને MIG હાઉસીંગના મોટા ભાગના રહીશો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે.ત્યારે આવા રહીશોને ગીફટ મની મળે અને તેઓની માંગણીઓને વાચા મળે તે હેતુ સાથે આ રજૂઆત સરકાર, બિલ્ડર અને નાગરિકો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે.

(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને રિડેવલમેન્ટની પ્રક્રિયામાં અંતિમ તબક્કામાં છે એ લોકોએ તાત્કાલિક રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...