Tuesday, November 11, 2025

હાઉસીંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ગીફટ મનીને લઈને મડાગાંઠ, ગીફટ મની મુદ્દે કહીં હા…કહી ના..!!

spot_img
Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતો આવેલ છે. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે અનેક પ્રશ્નો નડી રહ્યા છે પરંતુ જેમાં સૌથી પૈચીદો પ્રશ્ન છે ગીફટ મની..કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, સાથે સાથે ગીફટ મની ન આપવી એવો પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ પણ નથી, જાણકારોના મત મુજબ સરકાર પોલીસી બનાવતી વખતે વિષયના નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને જ પોલીસી બનાવતી હોય છે, જેથી પાછળથી કોઈ દોષનો ટોપલો સરકારના માથે ઢોળી ન શકે.

હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જો હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.

નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, કયાંક શરૂઆત છે, કયાંક અધવચ્ચે છે તો કયાંક અંતિમ તબકકામાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી મહત્વનું એ છે કે નવા વાડજમાં ઉત્સવ સહિત અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા અટકી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં મુખ્યત્વે ગીફટ મની સહિતના મુદ્દે મડાગાંઠ હોવાનું મનાઈ રહ્યું છે.

એક હાઉસીંગના આગેવાનના જણાવ્યા મુજબ ગીફટ મનીની માથાકુટમાં પડવું જોઈએ નહીં, ગીફટ મની માંગણી કર્યા વગર રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ.અન્ય એક હાઉસીંગના આગેવાનના મત મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર પ્રીમિયમનો ૧૦૦% હિસ્સો ગુજરાત હાઉસિંગ બોર્ડને આપે છે બિલ્ડર પ્રીમિયમનો ૧૦% હિસ્સો ગીફટ મની તરીકે તરીકે આપે તો કઈ ખોટુ નથી.જો ગીફટ મની અપાય તો રિડેવલમેન્ટની વધુ ઝડપી બનશે.

છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની માટે બિલ્ડર દ્વારા ઈન્કાર કરી વર્ષો સુધી પ્રોજેકટ લટકાવી દેવામાં આવે છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.

હાઉસીંગ વસાહતોને બાદ કરતા ખાનગી સોસાયટીઓની રિડેવલમેન્ટની પ્રક્રિયાની વાત કરીએ તો મોટાભાગની સોસાયટીઓમાં ભાડાની સાથે સાથે ફર્નીચર પેટે નાની મોટી રકમ ગીફટ મની આપવામાં આવે છે આ ઉપરાંત ટીવી કે એેેેેસી સહિતની ગીફટો પણ આપવામાં આવી રહી છે.

આમ હાઉસીંગ રિડેવલમેન્ટમાં ભાડાની સાથે સાથે ગીફટ મની આપવામાં આવે તો ગીફટ મનીની નાની મોટી રકમ હાઉસીંગમાં રહેતા સામાન્ય મધ્યમ વર્ગને આ રકમ જીવનમાં ખૂબ જ મોટો ટેકો કરી શકે તેમ છે.

નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટના ભણકારા વાગી રહ્યા છે ત્યારે, હાઉસીંગના રહીશો કે જે નિમ્ન મધ્યમ વર્ગમાં વહેંચાયેલ છે એમાંય ખાસ કરીને LIG અને MIG હાઉસીંગના મોટા ભાગના રહીશો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે.ત્યારે આવા રહીશોને ગીફટ મની મળે અને તેઓની માંગણીઓને વાચા મળે તે હેતુ સાથે આ રજૂઆત સરકાર, બિલ્ડર અને નાગરિકો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે.

(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને રિડેવલમેન્ટની પ્રક્રિયામાં અંતિમ તબક્કામાં છે એ લોકોએ તાત્કાલિક રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...