Saturday, April 18, 2026

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

spot_img
Share

અયોધ્યા : રામનગરી અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હતી, તેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ દિવસની વિશ્વભરના રામભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક લોકો રામલલ્લાના બિરાજમાન થયા બાદ તેમના દર્શન કરવા માટે આતુર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી ઝડપથી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં જ્યાં રામ લલ્લા બિરાજમાન થશે, તેની પૂજા કરવામાં આવી રહી છે.

રામનગરી અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હતી તે હવે જાહેર કરવામા આવ્યું છે.જાણકારી મુજબ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ખાસ મહેમાનો પણ ઉપસ્થિત રહશે.

આ સમારોહને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે અયોધ્યાના સાકેત આ કાર્યને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સંઘ પરિવારે રવિવારે સાકેત નિલયમ ખાતે બેઠક યોજી હતી. જેમાં સમારોહને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. રામલલાના રાજ્યાભિષેક બાદ અંતિમ તબક્કો શરૂ થશે. દરમિયાન રામનગરીની 14 કોસી પરિક્રમા 20મી નવેમ્બરે મોડી રાત્રે શરૂ થશે. જેમાં 20 લાખ ભક્તો ભાગ લે તેવી શક્યતા છે.

અયોધ્યામાં રામ મંદિરને લઈને પ્રચારનો પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો. જે 20મી ડિસેમ્બર સુધી ચાલશે. અયોધ્યામાં રામ મંદિરના કાર્ય માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના અમલીકરણ માટે ઘણી સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા અને બ્લોક સ્તરે 10-10 લોકોની ટીમ બનાવવામાં આવશે.

જાણકારી મુજબ જિલ્લા અને બ્લોક સ્તરે બનાવવામાં આવી રહેલી ટીમોમાં રામ મંદિર આંદોલનના કારસેવકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. આ જૂથો 250 સ્થળોએ બેઠકો યોજશે અને રામ મંદિરની ઉજવણીમાં વધુમાં વધુ લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરશે.

બીજો તબક્કો 1 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં ડોર-ટુ-ડોર સંપર્ક યોજના હેઠળ 10 કરોડ પરિવારોમાં પૂજાતી રામલલાની મૂર્તિ અક્ષતને એક ચિત્ર અને એક પત્રિકા આપવામાં આવશે.જેના દ્વારા લોકોને વિધિના દિવસે દીપોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવશે.

ત્રીજા તબક્કામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી છે. આ દિવસે, સમગ્ર દેશમાં મોટા પાયે ઉજવણીનું વાતાવરણ બનાવવામાં આવશે, ઘરો અને સ્થાનિક મંદિરોમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવશે,

ચોથા તબક્કામાં દેશભરના ભક્તોને રામલલાના દર્શન કરવાની યોજના બનાવાવમા આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચોથો ચરણ ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીથી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ અભિયાન પ્રાંતવાર ચલાવવામાં આવશે. 31મી જાન્યુઆરી અને 01મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કાર્યકર્તાઓને દર્શન કરાવવાની યોજના છે. ચોથા તબક્કાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

રામનગરીની 14 કોસી પરિક્રમા 20 નવેમ્બરે એટલે કે આજે બપોરે 2:09 વાગ્યે શરૂ થશે.આ પરિક્રમામાં લગભગ 42 કિલોમીટરનું અંતર કાપવામા આવ્યું છે. આ માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બસોની અવરજવર વધારી દેવામા આવી છે અને વધારાના બસ સ્ટોપ પણ બનાવામા આવ્યા છે. આ પરિક્રમા 21મી નવેમ્બરે રાત્રે 11:38 કલાકે પૂરી થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...